SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ વ્યાખ્યાન ૨૬૩]. જ્ઞાનાચારનો પાંચમો ભેદ–અનિલવ વાંદવા માટે તે પુરીમાં આવ્યો. ત્યાં કોઈ એક તાપસ લોહના પાટાથી પોતાનું પેટ બાંધીને જાંબુના વૃક્ષની શાખા હાથમાં રાખીને નગરીમાં ભમતો હતો. તે જોઈને “આ શું?” એમ લોકોએ પૂછ્યું, ત્યારે તે તાપસ બોલ્યો કે-“મારું ઉદર ઘણા જ્ઞાનથી ભરાઈ ગયું છે, માટે તે ફાટી જવાના ભયથી તેને લોહના પટ્ટથી બાંધી લીધું છે, અને આખા જંબૂદ્વીપમાં મારો પ્રતિવાદી કોઈ નથી એવું જણાવવા માટે આ જંબૂવૃક્ષની ડાળી હાથમાં રાખી છે.” પછી તે તાપસે “આખી નગરી શૂન્ય છે, સર્વે પરપ્રવાદી છે, પણ મારો પ્રતિવાદી કોઈ નથી.” એવી ઘોષણાપૂર્વક આખી નગરીમાં પડહ વગડાવ્યો. તે પડહ નગરીમાં પ્રવેશ કરતાં રોહગુએ જોયો અને ઘોષણા સાંભળી. તેથી “હું તેની સાથે વાદ કરીશ” એમ કહીને રોહગુસે તે પડહને નિવારણ કર્યો. પછી તેણે ગુરુ પાસે આવીને વંદનાપૂર્વક વાદ કરવાનું કબૂલ કર્યાનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને ગુરુએ કહ્યું કે–“તેં એ કામ સારું કર્યું નહીં, કેમકે તે ઘણી વિદ્યાથી ભરપૂર છે. તેથી તે કદાચ વાદમાં પરાભવ પામે તો મંત્રવિદ્યાથી પ્રતિવાદીને ઉપદ્રવ કરે છે. તે વિદ્યા આ પ્રમાણે . वृश्चिकान् पन्नगानाखून, मृगशूकरवायसान् । शकुनिकांश्च कुरुते, स हि विद्याभिरुद्भटान् ॥१॥ ભાવાર્થ-તે તાપસ વિદ્યા વડે અતિ ઉદ્ભટ એવા વીંછી, સર્પ, ઉંદર, મૃગ, સૂવર, કાગડા અને સમળીઓ વગેરે વિદુર્વે છે.” તે સાંભળી રોહગુએ કહ્યું કે–“એમ હોય તો પણ હવે ક્યાં નાસીને જવાય એમ છે? તે પટહ તો મેં નિવારણ કર્યો છે. હવે તો જે થવાનું હોય તે થાઓ.” ગુરુએ કહ્યું કે-“જો એવો જ નિશ્ચય હોય, તો માત્ર પાઠ કરવાથી જ સિદ્ધ થાય એવી અને તેની વિદ્યાનો નાશ કરનારી આ સાત વિદ્યા તું ગ્રહણ કર. केकिनो नकुला ओतृ-व्याघ्रसिंहाश्च कौशिकाः । श्येनाश्च याभिर्जायन्ते, तदिद्यबाधकाः क्रमात् ॥१॥ ભાવાર્થ-આ સાત વિદ્યાએ કરીને અનુક્રમે તેની વિદ્યાને બાઘ કરનારા મોર, નોળિયા, બિલાડા, વાઘ, સિંહ, ઘુવડ અને બાજ પક્ષીઓ ઉત્પન્ન થાય છે.” પછી તે સાત વિદ્યાઓ આપી અને તે ઉપરાંત ઓઘો મંત્રીને ગુરુએ તેને આપ્યો અને કહ્યું કે–“જો કદાચ તે તાપસ ક્ષુદ્ર વિદ્યાથી બીજો કાંઈ પણ ઉપદ્રવ કરે, તો તેના નિવારણ માટે આ ઓધો તારે તારા માથા પર ફેરવવો. તેમ કરવાથી ઇન્દ્ર પણ તને જીતી શકશે નહીં.” પછી તે રોહગુપ્ત રાજસભામાં ગયો. ત્યાં તેણે કહ્યું કે “આ ભિક્ષુક તાપસમાં શું જ્ઞાન છે? તેથી પ્રથમ તે જ પોતાની ઇચ્છા પ્રમાણે પૂર્વપક્ષ કરે, તેનો હું ઉત્તર આપીશ.” તે સાંભળીને તાપસે વિચાર્યું કે આ સાઘુઓ ઘણા નિપુણ હોય છે, માટે તેના જ સંમત પક્ષનો આશ્રય કરીને હું બોલું, કે જેથી તે તેનું નિરાકરણ કરી જ ન શકે” એમ વિચારીને તે બોલ્યો કે-“આ દુનિયામાં જીવ અને અજીવ એવી બે જ રાશિ છે. તે જ પ્રમાણે જોવામાં આવે છે માટે. ઘર્મ ને અઘર્મ, દ્રવ્ય ને ભાવ ઇત્યાદિ બબ્બે રાશિની જેમ.” તે સાંભળીને રોહગુએ વાદીનો પરાભવ કરવા માટે પોતાના સંમત પક્ષને ૧ અહીં વાદી ત્રણ વાક્યો બોલ્યો છે. તેમાં પહેલું વાક્ય પક્ષ, બીજું હેતુ અને ત્રીજું દ્રષ્ટાંત કહેવાય છે તે ત્રણે મળીને અનુમાન પ્રમાણ થયું છે. એ પ્રમાણે સર્વત્ર જાણવું. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy