SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૭ એ જ પ્રમાણે વચન વડે એવું બોલે નહીં કે ‘હું આ કાર્ય કરું’ બીજાને કહે નહીં કે ‘તું કર’ અને કોઈએ કર્યું હોય તો ‘તેણે સારું કર્યું, એમ બોલી તે તેની પ્રશંસા કરે નહીં. તે જ પ્રમાણે કાયાએ કરીને પોતે કરે નહીં, હાથની સંજ્ઞા તથા ભમરનું હલાવવું–તેણે કરીને બીજા પાસે કરાવે નહીં, અને બીજાએ કરેલું હોય તો તેને ‘‘આણે ઠીક કર્યું’ એમ સંજ્ઞાદિકથી પ્રશંસા કરે નહીં.’’ (આથી વિપરીત વર્ષે તો મિથ્યાત્વ જાણવું.) દશ ભેદ–મિથ્યાત્વના દશ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે—અધર્મમાં ધર્મ સંજ્ઞા, ધર્મમાં અધર્મ સંજ્ઞા, ઉન્માર્ગમાં માર્ગસંજ્ઞા, માર્ગમાં ઉન્માર્ગ સંજ્ઞા, અજીવમાં જીવ સંજ્ઞા, જીવમાં અજીવ સંજ્ઞા, કુસાધુમાં સુસાધુ સંજ્ઞા, સુસાધુમાં કુસાધુ સંજ્ઞા, અમુક્તમાં મુક્ત સંશા અને મુક્તમાં અમુક્ત સંજ્ઞા. તેની સમજૂતી નીચે પ્રમાણે– (૧) શુભ લક્ષણ રહિત હોવાથી વેદવાક્ય અનાગમ છે, તેમાં ઘર્મ એટલે આગમ બુદ્ધિ રાખવી, તે અધર્મમાં ધર્મ સંજ્ઞા જાણવી. (૨) સર્વ કર્મનો નાશ કરનાર અને શુદ્ધ સમ્યક્ત્વ પમાડનાર આસવચનમાં અનાગમની (અધર્મની) બુદ્ધિ રાખવી; અથવા એમ બોલવું કે “સર્વ પુરુષો અમારા જેવા જ મનુષ્યો હોવાથી રાગાદિક સહિત જ હોય છે, કોઈ સર્વજ્ઞ નથી. ઇત્યાદિ અનુમાન પ્રમાણથી કોઈ પણ આમ નથી.’’ એવી કુયુક્તિ કરીને આસપ્રણીત આગમમાં અનાગમ બુદ્ધિ રાખવી, તે ઘર્મમાં અધર્મ સંજ્ઞા જાણવી. (૩) મોક્ષપુરીનો અમાર્ગ એટલે વસ્તુતત્ત્વની અપેક્ષાએ વિપરીત શ્રદ્ધાનયુક્ત જ્ઞાન અને ક્રિયા કરવી તે ઉન્માર્ગ કહેવાય છે. તેમાં માર્ગ બુદ્ધિ રાખવી, તે ઉન્માર્ગમાં માર્ગ સંજ્ઞા જાણવી. (૪) મોક્ષપુરીના માર્ગમાં એટલે શુદ્ધ શ્રદ્ધાથી જ્ઞાન અને ક્રિયા કરવામાં ઉન્માર્ગપણાની બુદ્ધિ રાખવી, તે માર્ગમાં ઉન્માર્ગ સંજ્ઞા જાણવી. (૫) અજીવને વિષે એટલે આકાશ, પરમાણુ વગેરેમાં જીવ છે એમ માનવું, આ શરીર જ આત્મા છે એમ માનવું; અથવા પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, યજમાન, આકાશ, ચંદ્ર અને સૂર્ય એ આઠ મહાદેવની મૂર્તિઓ છે ઇત્યાદિ માનવું, તે અજીવમાં જીવ સંજ્ઞા જાણવી. (૬) પૃથ્વી આદિ જીવોમાં ઘડાની જેમ ઉચ્છવાસ વગેરે જીવના ધર્મ જણાતા નથી, માટે તે પૃથ્વી આદિ અજીવ છે. એવી યુક્તિ વડે જીવમાં અજીવ બુદ્ધિ રાખવી, તે જીવમાં અજીવ સંજ્ઞા જાણવી. (૭) છ કાય જીવની હિંસામાં પ્રવર્તેલા અસાધુમાં સાધુબુદ્ધિ રાખવી, તે અસાધુમાં સાધુ સંજ્ઞા જાણવી. (૮) ‘‘આ પુત્ર રહિત હોવાથી તથા સ્નાનાદિક નહીં કરવાથી તેમની સદ્ગતિ નથી'' ઇત્યાદિ કુતર્ક કરીને પંચ મહાવ્રતાદિક પાલન કરનારા સુસાધુમાં અસાઘુ બુદ્ધિ રાખવી, તે સાધુમાં અસાધુ સંજ્ઞા જાણવી. (૯) કર્મવાળા અને લૌકિક વ્યવહારમાં પ્રવૃત્ત થયેલા અમુક્ત પુરુષોને મુક્ત માનવા, એટલે કે અણિમાદિ અષ્ટ સિદ્ધિના ઐશ્વર્યને પામેલા કુશળ પુરુષો સદા આનંદમાં વર્તે છે, તેઓ જ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy