SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ સ્તિંભ ૧૬ સંતાતો સંતાતો શરીરને નીચું નમાવીને ઘીરે ધીરે આવ્યો. આવી ચૌરવૃત્તિથી તેને આવતો જોઈને “આ જ ચોર છે એમ માનીને તેઓએ તેને મારીને બાંધ્યો. પછી સત્ય વાત કહેવાથી છોડ્યો, અને શિખામણ આપી કે–“આવી રીતે કોઈ ઠેકાણે જોઈએ ત્યારે “અહીં ઉસ ખાર પડો, ચોખું થાઓ.” એ પ્રમાણે બોલવું.” તે વાક્ય પણ અંગીકાર કરીને આગળ જતાં કોઈક ગામમાં તે દિવસે પ્રથમ હળ ખેડવાનું મુહૂર્ત હતું. તેની બહુ મંગળપૂર્વક ક્રિયા થતી હતી. ત્યાં જઈને તે “અહીં ઉસ ખાર પડો, ચોખ્ખું થાઓ” એ પ્રમાણે બોલ્યો; એટલે ત્યાં પણ તેને મારીને બાંધ્યો. પછી સત્ય વાત કહેવાથી છોડ્યો, અને શીખવ્યું કે-“આવી રીતે જોઈને એમ બોલવું કે- અહીં ગાડાં ભરાઓ, ઘણું થાઓ, હમેશાં આવું થાઓ.” તે પણ તેણે અંગીકાર કર્યું. પછી કોઈ ઠેકાણે કોઈ મડદાને ગામ બહાર લઈ જતા હતા, તે વખતે તે ઉપર પ્રમાણે બોલ્યો, એટલે ત્યાં પણ તેને બાંધ્યો. પછી સત્ય વાત કહેવાથી તેને છોડી દઈને શિખામણ આપી કે-“આવું જ્યાં જુઓ ત્યાં એમ કહેવું કે-કોઈ પણ વખત તમારે આવું ન થાઓ, ન થાઓ.” તે પણ અંગીકાર કરીને તે વચન કોઈક સ્થાનકે વિવાહના પ્રસંગમાં બોલ્યો, એટલે ત્યાં પણ તેને બાંધ્યો અને સત્ય વાત કહેવાથી છોડી દઈને શિખામણ આપી. આ પ્રમાણે ઠેકાણે ઠેકાણે તે કદર્થના પામ્યો. પછી એક દિવસ તે એક નિર્ધન ઠાકોર(ક્ષત્રિય)ની નોકરી કરવા રહ્યો. તેને ઘેર એક દિવસ છાશમાં રાબ રાંઘી હતી, તે વખતે ઠાકોરની સ્ત્રીએ ઠાકોરને તેડવા મોકલતાં ઘણા લોકોની સભામાં બેઠેલા ઠાકોર પાસે આવીને તે મોટેથી બોલ્યો કે–“હે ઠાકોર! ચાલો, રાબ ટાઢી થઈ જાય છે, પછી ખવાશે નહીં, માટે રાણીએ મને તેડવા મોકલ્યો છે.” તે સાંભળીને ઠાકોર લબ્ધ પામીને ઘેર ગયો. પછી તેને ઘણો મારીને શીખવ્યું કે-“આવી રીતે પોકાર કરીને ઘરનું કામ કહેવું નહીં, પરંતુ વસ્ત્રથી મુખ ઢાંકીને કાન પાસે આવીને ઘીમે ઘીમે કહેવું” પછી એક વખત તે ઠાકોરના ઘરમાં આગ લાગી. તે વખતે સભામાં બેઠેલા ઠાકોર પાસે તે ઘીરે ઘીરે ગયો, અને મુખ આડું વસ્ત્ર રાખીને કાનમાં ઘીરેથી કહ્યું. તે સાંભળીને ઠાકોર એકદમ ઘર તરફ દોડ્યો; તેટલામાં તો ઘર બળી ગયું. પછી અતિ ક્રોધથી તેને ઘણો માર્યો, અને શીખવ્યું કે-“હે મૂર્ખ! પ્રથમ ઘુમાડો નીકળે તે જ વખતે તેના ઉપર પાણી, ધૂળ, રાખ વગેરે નાંખીને ઊંચે સ્વરે પોકાર કરવો જોઈએ.” ત્યારે તે બોલ્યો કે-“હવેથી તેમ કરીશ.” પછી કોઈ એક વખત ઠાકોર સ્નાન કરીને અગ્નિ પાસે તાપવા બેઠા હતા, તે વખતે ઠાકોરના લૂગડાની ઉપર ઘુમાડો નીકળતો જોયો, કે તરત જ તેણે રાખની ભરેલી થાળી ઉપાડીને તેના પર નાંખી. પછી ધૂળ પાણી વગેરે નાંખવા લાગ્યો, અને મોટા શબ્દથી પોકાર કરવા લાગ્યો. એટલે “આ તદ્દન અયોગ્ય છે” એમ ઘારીને ઠાકોરે તેને કાઢી મૂક્યો. આ દ્રષ્ટાંત પ્રમાણે જે શ્રોતા અથવા શિષ્ય ગુરુવચનના પરમાર્થને ન જાણે તેને ઉપદેશને અયોગ્ય જાણવો. (૪) હવે ધૂર્ત માણસે સમજાવેલો માણસ પણ ઉપદેશને અયોગ્ય છે, તે કહે છે वस्त्ववस्तुपरीक्षायां, धूर्तव्युद्ग्राहणावशात् । अक्षमो कुग्रहाविष्टो, हास्यः स्याद् गोपवन्नरः॥१॥ ભાવાર્થ-“ઘૂર્ત માણસે અવળું સમજાવવાથી કદાગ્રહી થયેલો માણસ વસ્તુ અને અવસ્તુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy