SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૩૬] ઉપદેશ માટે અયોગ્ય જીવો ૧૦૩ આ પ્રમાણે દેવોએ તેને અનેક પ્રકારે લોભ પમાડ્યા છતાં પણ તેણે તેમનું વચન અંગીકાર કર્યું નહીં. અંતે તે દેવો થાકીને પોતાને સ્થાને ગયા. તામલિ તાપસ પણ બે માસની સંખના એટલે ૧૨૦ ભક્તપાનના ત્યાગરૂપ અનશન વડે મૃત્યુ પામીને ઈશાનેંદ્ર થયો. આટલું બધું કષ્ટ કર્યા છતાં પણ અલ્પ કષાય તથા અનુકંપાના પરિણામ હોવાથી તે માત્ર વૈમાનિક દેવપણું પામ્યો. આ તામલિ તાપસ વિષે બીજા ચરિત્ર ગ્રંથમાં એવું સાંભળ્યું છે કે-“તામલિ તાપસે પોતાની અંત્યાવસ્થામાં એક સાઘને જોયા હતા; તેને જોઈને તેના ગુણની પ્રશંસા તેણે મનમાં કરી હતી. તેથી તે સમ્યકત્વ પામેલ હોવાથી ઇંદ્રપદ પામ્યો.” કેટલાક એમ કહે છે કે-“સ્વર્ગમાં ઉત્પન્ન થયા પછી શાશ્વતા જિનબિંબનું દર્શન કરવાથી તે ઇંદ્રપદ સંબંધી સમકિત પામ્યો હતો.” તત્ત્વ બહુશ્રુત જાણે. આ તામલિ તાપસનું દૃષ્ટાંત શ્રી ભગવતી સૂત્રમાં કહેલું છે. વૃદ્ધો એમ કહે છે કે तामलि तणे तवेण, जिणमय सिज्झे सत्त जणे । अन्नाणं दोसेणं, तामलि ईसाणे गयो॥४॥ ભાવાર્થ-બંતામલિ તાપસના જેટલી તપસ્યાએ કરીને જૈનમત પ્રમાણે સાત જીવ સિદ્ધિપદ પામે તેટલું તેણે તપ કર્યું હતું); પણ અજ્ઞાનના દોષથી તે ઈશાનેંદ્ર થયો.” શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે___ स४ि वाससहस्सा, तिसत्तगुतोदयेण धोएण । अणुचिन्नं तामलिणा, अन्नाणतवत्ति अप्पफलो ॥२॥ ભાવાર્થ-“તામલિ તાપસે સાઠ હજાર વર્ષ સુધી એકવીશ વાર જળથી ધોઈને અન્ન ખાધું, અને મહા તપ કર્યું, પણ તે અજ્ઞાન તપ હોવાથી તેને તેનું અલ્પ ફળ મળ્યું.” પૃથ્વીકાય આદિ છકાય જીવોને વઘ કરનારા અને સર્વજ્ઞના શાસનથી પરાભુખ એવા બાળતપસ્વીઓ ઘણો તપક્લેશ કરવા છતાં પણ અલ્પ ફળ પામે છે. મિથ્યાદ્રષ્ટિ છતાં પણ તામલિ તાપસે તપસ્યાના ફળનું નિયાણું કર્યું નહીં, એ આ વૃત્તાંતનું તાત્પર્ય છે. માટે મુનિઓએ મુક્તિના અમૂલ્ય સુખને આપનાર તપસ્યાનું નિયાણું કરીને તેને અલ્પમૂલ્ય કરવું નહીં.” વ્યાખ્યાન ૨૩૭. ઉપદેશ માટે અયોગ્ય જીવો દરેક માણસના સ્વભાવ, રસ, રુચિ ભિન્ન-ભિન્ન હોય છે. બધા માણસો ઉપદેશને યોગ્ય હોતા નથી. ચાર પ્રકારના માણસો મુખ્યત્વે ઉપદેશને અયોગ્ય હોય છે–(૧) અતિ રાગી (૨) અતિ કેવી (૩) મૂઢ (૪) ધૂર્તથી શિક્ષા પામેલો. હવે તે વિષે વિશેષ વર્ણન કરે છે– (૧) પ્રથમ અત્યંત રાગી પુરુષ ઉપદેશને અયોગ્ય છે. તે વિષે કહે છે यस्मिन् वस्तुनि संजातो, रागो यस्य नरस्य सः । तदीयान्ननु दोषांश्च, गुणतयैव पश्यति ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy