SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૬૪] મુનિદાનનો પ્રભાવ ૭૩ તેની જરૂર હોય તો તે તેમને પૂછીને આ નાખી દીધેલા ટુકડા લઈ જા.” સેવકે જઈને શ્રેણિક રાજાને તે પ્રમાણે કહ્યું. તે સાંભળી રાજા અતિ આશ્ચર્ય પામ્યો અને તે શેઠના પુત્રને જોવાની ઇચ્છા કરી. તેની માતા ભદ્રાને બોલાવીને કહ્યું- ભદ્ર! તમારા પુત્રને દેખાડો, મારે જોવાની ઇચ્છા છે.” ભદ્રા બોલી–“રાજેંદ્ર! મારો પુત્ર માખણના જેવો સુકોમલ છે. તે કદી પણ ઘરની બહાર નીકળ્યો નથી, ઘરમાં જ ક્રીડા કરે છે; માટે આપ કૃપા કરી મારે ઘેર પધારવાનો અનુગ્રહ કરો.” આમંત્રણ સ્વીકારી શ્રેણિક રાજા શાલિભદ્રને ઘેર આવ્યો. ત્યાં તેના ઘરનો વૈભવ જોતાં જ રાજા વિસ્મય પામી ગયો. ઘરમાં પેસતાં અનુક્રમે પહેલી, બીજી અને ત્રીજી ભૂમિકામાં ગયો. ત્યાં નવરંગિત અભિનવ દેખાવો નજરે પડ્યા. પછી ચોથી ભૂમિકામાં જઈ સિંહાસન ઉપર બેઠા; એટલે ભદ્રા સાતમી ભૂમિકામાં જ્યાં પોતાનો પુત્ર રહેતો હતો ત્યાં જઈને કહેવા લાગી—“પુત્ર! આપણે ઘેર શ્રેણિક આવેલ છે, માટે તું જાતે આવીને તેમને જો.” શાલિભદ્ર જાણ્યું કે શ્રેણિક નામની કાંઈક વસ્તુ હશે; તેથી તે બોલ્યો-“માતા! તમે તેનું જે કહે તે મૂલ્ય આપીને તેને ઘરના ખૂણામાં મૂકી દો.' ભદ્રા બોલી-વત્સ! શ્રેણિક નામે કાંઈ ખરીદવા યોગ્ય વસ્તુ નથી, પણ તે તો આપણા સ્વામી શ્રેણિક રાજા છે.' તે સાંભળી શાલિભદ્ર વિચારમાં પડ્યો-“શું મારી ઉપર પણ બીજો કોઈ રાજા છે? હું પરાધીન છું? તો મને ખરું સુખ નથી. અરે! આવા સંસારસુખને ધિક્કાર છે!” એમ સંવેગ ઘરતો શાલિભદ્ર માતાના આગ્રહથી પોતાની સ્ત્રીઓ સહિત રાજા શ્રેણિક પાસે આવ્યો અને વિનયથી રાજાને નમન કર્યું. રાજા શ્રેણિકે તેને પોતાના ખોળામાં બેસારી કુશળતા પૂછી. રાજાના ઉત્સંગમાં બેઠેલા શાલિભદ્રને અગ્નિના સંયોગથી મીણના પિંડની જેમ ઓગળી જતો જોઈ ભદ્રાએ રાજાને કહ્યું–‘દેવ! મારા પુત્રને છોડી દો. તે મનુષ્ય છે, પરંતુ મનુષ્યના સમૂહની ગંધ પણ સહન કરી શકતો નથી; કારણ કે દિવ્ય ભૂમિમાં ગયેલા તેના પિતા ત્યાંથી દિવ્ય વસ્ત્ર, અલંકાર અને ચંદન પુષ્પાદિ દિવ્ય પદાર્થો મોકલે છે, તેનો તે ભોક્તા છે.” પછી રાજાએ તેને છોડી દીધો, એટલે શાલિભદ્ર સાતમી ભૂમિએ ગયો. ભદ્રાએ આગ્રહ કરી શ્રેણિક રાજાને ભોજનનું આમંત્રણ કર્યું. સ્નાનનો સમય થતાં રાજા શાલિભદ્રના ઘરની વારિકામાં સ્નાન કરવા ગયો. ત્યાં રાજાના હાથની આંગળીમાંથી મુદ્રિકા વાપિકાના જળમાં પડી ગઈ. રાજા આમ તેમ તેને શોધવા લાગ્યો, એટલે ભદ્રાએ દાસીને આજ્ઞા કરી કે વાપિકાનું જળ દૂર કરી રાજાની મુદ્રિકા શોધી આપ.' દાસીએ તેમ કર્યું, એટલે પોતાની મુદ્રિકા બીજાં દિવ્ય આભરણોના મધ્યમાં જાણે કોલસા જેવી હોય તેવી દેખાવા લાગી. રાજાએ કહ્યું-“આ શું?” એટલે દાસી બોલી–“સ્વામી! એ નિર્માલ્ય છે. હમેશાં અમારા સ્વામી શાલિભદ્ર સ્ત્રીઓ સહિત સ્નાન કરતી વખતે પોતાનાં આભરણો આ વાપિકામાં નાખી દે છે અને નવાં ઘારણ કરે છે.” તે સાંભળી રાજા શ્રેણિકે ચિંતવ્યું કે હું પણ ઘન્ય છું કે જેના નગરમાં આવા ઘનાક્યો વસે છે.” પછી રાજાએ પરિવાર સહિત ત્યાં ભોજન કર્યું. ભદ્રાએ વસ્ત્રાભૂષણથી સત્કાર કરેલા રાજા પોતાના મહેલમાં આવ્યા. અહીં શાલિભદ્રને સંસારનાં અનિત્ય સુખ તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. તે સમયે તેના ઘર્મમિત્રે આવીને જણાવ્યું કે “હે મિત્ર! આ નગરમાં ચતુર્નાનઘારી ઘર્મઘોષ નામે મુનીશ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy