SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ વ્યાખ્યાન ૧૪૫] બીજું શિક્ષાવ્રત દેશાવકાશિક સમજવો–“પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા ત્રસ જીવો સંબંધી જે આરંભ અને ઉપભોગ તે સર્વનો દશમા વ્રતમાં યથાશક્તિ સંક્ષેપ કરવો.” તેવી રીતે સર્વ વ્રતમાં યથાશક્તિ વર્જવું. શયન વખતે તો વિશેષે કરીને સર્વ હિંસા તથા મૃષાવાદ વગેરેનો સંક્ષેપ કરવો. આ વ્રત પાળવાથી સુમિત્રની જેમ ઉત્તમ સંપત્તિ પ્રાપ્ત થાય છે; તેની કથા આ પ્રમાણે | સુમિત્રની કથા ચંદ્રિકા નામની નગરીમાં પ્રજાપાલ નામે રાજા હતો. તેને સુમિત્ર નામે જૈનમંત્રી હતો. તે બન્નેને હમેશાં ઘર્મ વિષે વાદ થતો હતો. રાજાને ઘર્મ ઉપર શ્રદ્ધા નહોતી. એક વખતે રાજાએ મંત્રીને કહ્યું–“અરે પ્રધાન! તું દેવપૂજા વગેરેમાં વૃથા મોહ કેમ પામ્યો છે?” મંત્રી બોલ્યો-“હે રાજ! પૂર્વ ભવમાં સુકૃત કર્યા વિના તમે રાજા કેમ થયા અને અમે સેવક કેમ થયા? સર્વે એક સરખા કેમ નથી?” રાજા બોલ્યો-“એક પથ્થરની શિલાના બે કટકા કરીએ, પછી તેમાંથી એક કટકાનું દેવનું પ્રતિબિંબ ઘડાવીએ અને બીજા કટકાનું પગથિયું કરીએ, તે બન્નેમાં કોણે ઘર્મ અને કોણે પાપ કર્યું છે? માત્ર સ્થાનક ઉપરથી ન્યૂનતા અને વિશેષતા ગણાય છે.” મંત્રી બોલ્યો-“આ તમારો પક્ષ અયોગ્ય છે, કેમકે તેમાં ત્રસ જીવનો અભાવ હોવાથી તે યુક્તિ વગરનો છે. જો તેમાં ત્રસ જીવ હોય તો તે તો આત્મશક્તિથી પૂજ્ય અને અપૂજ્ય કર્મ ઉપાર્જે છે. વળી તે પથ્થરમાં એકેન્દ્રિય જીવ હોય છે, તેમાંના એક ખંડમાં રહેલા જીવે પૂર્વે મોટું પુણ્ય કરેલું, તેથી તે દેવનું પ્રતિબિંબ થયો અને તે હજારો વર્ષ સુધી કાંઈ પણ તાડન, ઘર્ષણ અને નિભાડામાં પાકવું વગેરે તથા ચૂર્ણ (ચૂરો) થવા પ્રમુખ દુઃખને પામતો નથી; બીજા ખંડમાં રહેલા જીવે પૂર્વે પાપ કરેલ તેથી તે મોટું દુઃખ પામે છે. આ પ્રમાણે સર્વત્ર જાણી લેવું.” પ્રઘાનનાં આવાં વચન સાંભળી રાજાએ મંત્રીને કહ્યું–“પ્રત્યક્ષ ફળ જોયા વિના પુણ્ય ઉપર મને શ્રદ્ધા થતી નથી.” આ પ્રમાણે તેમને હમેશાં સંવાદ થયા કરતો હતો. એક વખતે મંત્રીએ પાખીની રાત્રે ઘરમાંથી બહાર નહીં જવાના પચખાણ કર્યા. તે જ રાત્રે રાજાએ કોઈ કાર્ય આવી પડવાથી તેને બોલાવવા પ્રતિહાર મોકલ્યો. મંત્રીએ પ્રતિહારને પોતાનો નિયમ જણાવ્યો. પ્રતિહારે આવીને તે વાત રાજાને જણાવી. રાજાએ અતિ રોષ કરી પ્રતિહારને પાછો મોકલી મંત્રી પાસેથી મંત્રીપદની મહોર છાપ મંગાવી. મંત્રીએ તત્કાળ તે પ્રતિહારને આપી દીધી. પ્રતિહાર કૌતુકથી તે મહોરછાપની મુદ્રિકા હાથમાં પહેરી પોતાની સાથેના પાળાઓની આગળ હસતો હસતો બોલ્યો કે-“અરે સેવકો! જુઓ, રાજાએ મને મંત્રીપદ આપ્યું.” સેવકો “મંત્રીરાજ! ખમા, પઘારો” એમ બોલવા લાગ્યા. પછી તે પ્રતિહાર થોડો આગળ ચાલ્યો ત્યાં દૈવયોગે કોઈ દુષ્ટ સુભટોએ તેને મારી નાંખ્યો. આ ખબર રાજાએ જાણી એટલે તે વિચારમાં પડ્યો કે “જરૂર તે પ્રતિહારને મંત્રીએ જ મરાવી નાંખ્યો હશે, માટે હું જાતે જઈ એ મંત્રીને જ મારી નાંખું.” આવા વિચારથી રાજા ત્યાં આવ્યો. તેવામાં પ્રતિહારને હણનારા પેલા સુભટો જેને દીવીઓના પ્રકાશથી શોધીને પકડી લીઘેલા તેમજ બાંઘેલા તેઓ માર્ગમાં મળ્યા. રાજાએ તેમને પૂછ્યું–‘તમે ક્યાંથી આવ્યા હતા?” તેઓ બોલ્યા-“મહારાજ! અમને પેટભરાને શું પૂછો છો? તમારા વૈરી સૂર રાજાએ મંત્રીનો વઘ કરવા અમને મોકલ્યા હતા. અમે આ પ્રતિહારને મુદ્રિકા ઉપરથી મંત્રી જાણીને મારી નાંખ્યો છે.' પછી રાજાએ મંત્રીને ઘેર આવી મિથ્યા દુષ્કત આપી તે સર્વ વૃત્તાંત જણાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy