SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૪] સામાયિકનું ફળ ૨૧ વિષે પૂજ્યપુરુષોએ કહ્યું છે કે–“બે ઘડી સમભાવે સામાયિક કરતો એવો શ્રાવક એટલા પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બાંધે. કેટલા પલ્યોપમનું? તે કહે છે–બાણું ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસો અને પચીશ પલ્યોપમ તથા ને ૬ પલ્યોપમ.” વળી કહ્યું છે કે-“જે કોઈ મોક્ષે ગયા, મોક્ષે જાય છે અને મોક્ષે જશે તે સર્વ સામાયિકના પ્રભાવથી જ ગયા છે એમ જાણવું.” તેમજ વળી કહ્યું છે કે “જેમાં હોમ નહીં, તપ નહીં અને દાન નહીં એવી અમૂલ્ય કરણી તે સામાયિક છે કે જે માત્ર સમતા વડે જ સિદ્ધ થાય છે.” તે વિષે એક કથા છે તે આ પ્રમાણે - સામાયિકના મહિમા ઉપર કેશરી ચોરની કથા શ્રીપુર નગરમાં પદ્મશ્રેષ્ઠીને કેશરી નામે એક પુત્ર હતો. તે નટ, વિટ અને અધર્મીઓની સંગતથી ચોરી કરવા લાગ્યો. લોકોની રાવ સાંભળી રાજાએ તેને પકડી મંગાવી શિખામણ દઈને છોડી મૂક્યો, તથાપિ તે ચોરીના વ્યસનમાં આસક્ત રહ્યો. એટલે રાજાએ તેના પિતાના વચનથી તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. માર્ગે જતાં તેણે વિચાર્યું કે-“આજે હું કોને ઘેર ચોરી કરીશ?” આવું વિચારી તે કોઈ સરોવરની પાળ ઉપરના વૃક્ષ ઉપર ચડ્યો. ત્યાંથી સર્વ દિશાઓમાં દ્રષ્ટિ કરી, એવામાં કોઈ સિદ્ધપુરુષને અકસ્માતું આકાશમાંથી ઊતરી, સરોવરને કિનારે પાદુકા ઉતારી અંદર જઈને સ્નાન કરતો જોયો. આ લાગ જોઈ તે કેશરી તેની પાદુકા પહેરી આકાશમાં ઊડી ગયો. પછી પોતાના નગરમાં આવી લોકોનું સર્વસ્વ ચોરવા લાગ્યો. રાજાના અંતઃપુરમાં પણ જવા લાગ્યો, તેથી રાજા પોતે બહુ ખેદ પામી હાથમાં ખગ લઈને સર્વ ઠેકાણે ચોરને શોઘવા લાગ્યો. વનમાં જતાં જેની દિવ્ય પૂજા કરેલી છે એવી ચંડિકાનો પ્રાસાદ રાજાએ જોયો. ત્યાં ચોરના આવવાનો સંભવ જાણી રાજા છાની રીતે સંતાઈ રહ્યો. તેવામાં પેલો ચોર ત્યાં આવી બન્ને પાદુકા ઉતારી દેવીને નમી બોલ્યો : “હે દેવી! આજ જો મને ઘણું ઘન મળશે તો હું તારી વિશેષ પૂજા કરીશ.” એમ કહી જેવો તે પાદુકા પહેરવા જાય છે તેવામાં રાજાએ એક પાદુકા લઈ લીધી. ચોર રાજાને ઉગ્ર શાસનવાળો જોઈ નાસવા લાગ્યો. નજીકમાં ગુપ્ત રહેલા રાજાના યોદ્ધાઓ પણ તેની પછવાડે દોડ્યા. ચોર ભયથી વિહલ થઈને વિચારવા લાગ્યો કે “અહો! આજે મારું પાપ ફળ્યું. તેવામાં સમીપ ભાગમાં એક મુનિ તેના જોવામાં આવ્યા. એટલે તેણે મુનિને પોતાના ભવપર્યત કરેલા પાપના ત્યાગનો ઉપાય પૂછ્યો. મુનિએ કહ્યું કે तष्येद्वर्षशतैर्यश्च, एकपादस्थितो नरः । एकेन ध्यानयोगेन, कलां नार्हति षोडशीं॥ “કોઈ મનુષ્ય સો વર્ષ સુધી એક પગે ઊભો રહીને તપ કરે તોપણ તે તપ એક ધ્યાન યોગ (સામાયિક)ની સોળમી કળાને પણ યોગ્ય થાય નહીં.” પછી ગુરુના મુખથી સામાયિકનું સ્વરૂપ અને ફળ સાંભળી, સામાયિક લઈને તે ચોર પોતે પૂર્વે કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. “અહો! મેં નાસ્તિક બુદ્ધિથી મોટું પાપ કર્યું છે, મને ધિક્કાર છે.” આ પ્રમાણે શુભધ્યાનમાં આરૂઢ થવાથી ક્ષપકશ્રેણી માંડવા વડે તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવતાએ રજોહરણાદિ આપી તેનો મોટો ઉત્સવ કર્યો. રાજા તે ચોરને સમતાવાનુ–સંયમી થયેલો જોઈ આશ્ચર્ય પામી અનિમેષ દૃષ્ટિથી જોઈ રહ્યો. તે જોઈ જ્ઞાની મહારાજ બોલ્યા–હે રાજા! તું એમ વિચાર કરે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy