SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૩] સામાયિકના ઉપકરણો ૧૯ પ્રભુ સમવસર્યા, તે વાત શ્રમણોપાસક કુંડકોળિકે સાંભળી. તત્કાળ તે પણ કામદેવ શ્રાવકની જેમ પ્રભુને વાંદવા નીકળ્યો, યાવત્ પર્યુપાસના કરવા લાગ્યો.'' કામદેવ શ્રાવક પૌષધ પાર્યા વિના જ વાંદવા નીકળેલો છે. તે વિષે તે જ સૂત્રમાં કહ્યું છે કે—શ્રી વીરપ્રભુને વાંદી ત્યાંથી પાછો વળીને પછી જ મારે પૌષધ પારવો ઘટે, એ જ નિશ્ચયે મને શ્રેયકારી છે એમ ધારે. ઇત્યાદિ’’ અહીં કુંડકોળિક શ્રાવકે પણ ઉત્તરીય વસ્ર મૂકીને મુખવન્નિકાદિવડે ધર્મક્રિયા કરી છે એમ સમજવું. જો એમ ન માનીએ તો તેને કામદેવની ઉપમા આપવાથી તે પ્રમાણે પોસહ પારવાનો અભિપ્રાય ન ઘટે અહીં વળી કોઈ વાદી કહેશે કે—“કૃષ્ણ વાસુદેવે કરેલી વંદણાનો સંબંધ જ્યાં કહેલો છે તેમાં મુખવન્નિકાથી વંદન કહ્યું નથી, તેમ વસ્ત્રના છેડાથી પણ કહ્યું નથી.” તેના ઉત્તરમાં કહે છે કે– શ્રી અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે કે—તે લોકોત્તર ભાવઆવશ્યક કહેવાય કે જે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા તેને વિષે ચિત્ત, મન, લેશ્યા અને અધ્યવસાય રાખે, તેના અર્થમાં ઉપયુક્ત થાય, તેને વિષે અર્પિત કરણ કરે અને બીજે ઠામે મન જતું રોકે; તેવી રીતે બન્ને કાળ આવશ્યક કરે.'' અહીં ‘‘તબિગબરળે” એ પદની ચૂર્ણીમાં ચૂર્ણાકાર લખે છે કે—–‘જે તેના સાધનો (ઉપકરણો) શરીર, રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરે તે દ્રવ્યક્રિયા કરવાને સ્થાને સ્થાપવા.” તે પદની વૃત્તિમાં વૃત્તિકાર લખે છે કે—તવર્પિત ઋરણ એટલે જે રજોહરણ–મુખવસ્ત્રિકા વગેરે ઉપકરણો જેણે આવશ્યકમાં યથાયોગ્ય વ્યાપારના નિયોગમાં અર્પણ કરેલા છે એવો, અર્થાત્ દ્રવ્યથી સ્વસ્થાને ઉપકરણોને સ્થાપિત કરનાર.' આ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિએ કરેલી અનુયોગદ્વારની વૃત્તિમાં કહેલ છે અને મલ્લધારી શ્રી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિમાં પણ તે પ્રમાણે જ કહેલ છે. એટલે ચૂર્ણીમાં અને બન્ને વૃત્તિમાં ‘‘તદર્પિત કરણ’’ એ વિશેષણનું વ્યાખ્યાન સાધુ અને ગૃહસ્થ બન્નેના સંબંધમાં સરખી રીતે જ લાગુ પડે તેમ કરેલું છે. કોઈ પણ ઠેકાણે કેવળ શ્રાવકને આશ્રયીને સમસ્ત આવશ્યક ક્રિયાનો પાઠ જોવામાં આવતો નથી. વળી આવશ્યકચૂર્ણીમાં સામાયિકના અઘિકારે લખે છે કે—‘સાધુની સમીપથી રજોહરણ અથવા કટાસણું માગે` અથવા ઘેર ઉપધિ–રજોહરણ ન હોય તો તેને અભાવે વસ્રના ખંડ વડે ક્રિયા કરે.’' તથા વંદનક ભાષ્યમાં પણ કહ્યું છે કે−‘‘એવી રીતે સુશ્રાવક પણ દ્વાદશાવર્ત વંદન કરતો સતો મુખવસ્ત્રિકા મધ્યભાગે રાખીને સ્થાપિત પૂજ્યગુરુના ચરણયુગલની વંદના કરે.' આ પ્રમાણે અનેક સ્થાનકે શ્રાવકને રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરેનું ગ્રહણ કરવાનું કહેલું છે. તે વિષે વિશેષ યુક્તિ જાણવી હોય તો શ્રી કુલમંડનસૂરિએ લખેલા વિચારામૃતસંગ્રહ ગ્રંથથી જાણી લેવી. વળી શ્રાવકે સામાયિકમાં જપમાલા (નવકારવાળી) પણ રાખવી. પ્રતિક્રમણમાં છ પ્રકારનાં આવશ્યક કર્યા પછી અથવા સામાયિકમાં જપ કરવા માટે તે રાખવી યોગ્ય છે. ‘દંડ’ એ શબ્દ વડે પદભૂમિનું પ્રમાર્જન કરવાને માટે રજોહરણ દંડાસણ લેવું એવો અર્થ સમજવો. અથવા બહુશ્રુત જે અર્થ કરે તે પ્રમાણે સમજવો. તથા પાદપ્રોંછનક તે કટાસણું કાંબલનું કે સકલાતનું રાખવું. ઉપર કહેલા ધર્મનાં ઉપકરણોને અવલંબીને ઉત્તમ આસ્તિક શ્રાવકોએ સામાયિક કરવું. તે ઉપકરણોનું દાન કરવાથી પણ મોટું પુણ્ય ૧ આનું તાત્પર્ય સમજાતું નથી. ૨ પગ મૂકવાની ભૂમિ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy