SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૩] સામાયિકના ઉપકરણો ૧૭ કે—“પ્રથમ ભાવની સ્વલ્પતાથી પ્રાયે બાલાદિકને સંભવે છે, પછી ઉત્તરોત્તર નિશ્ચય શુદ્ધ યથાર્થ ક્રિયાની પ્રાપ્તિ હોય છે.’’ આ પ્રમાણે અનુષ્ઠાનનું સ્વરૂપ સાંભળીને તેને વિધિપૂર્વક આદરવું. તેમ કરવાથી જ આગળ વ્યાખ્યાનમાં કહેવાશે તેવું ફળ પ્રાપ્ત થાય છે, અન્યથા થતું નથી. “મન, વચન અને કાયાના દોષથી મુક્ત એવું જે અનુષ્ઠાન અહીં પ્રથમ કહેલું છે તે પ્રમાણે વિધિપૂર્વક નિર્દોષ સામાયિક હમેશાં કરવું કે જેથી તેની સફળતા થાય.’’ વ્યાખ્યાન ૧૪૩ સામાયિકના ઉપકરણો સામાયિકમાં ધર્મના ઉપકરણ કેટલાં જોઈએ તે કહે છે. धर्मोपकरणान्यत्र, पंचोक्तानि श्रुतोदधौ । तदालंब्य विधातव्यं, सामायिकं शुभास्तिकैः ॥१॥ ભાવાર્થ-શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધર્મના ઉપકરણ પાંચ કહેલા છે, તે ઉપકરણો લઈને ઉત્તમ આસ્તિક પુરુષોએ સામાયિક કરવું.” વિશેષાર્થ-સામાયિક કરવામાં ઘર્મના ઉપસ્તંભ(ટેકા)ને આપનારા અર્થાત્ ધર્મકાર્યમાં ઉપકાર કરનારા ઉપકરણો શાસ્ત્રરૂપી સમુદ્રમાં પાંચ કહેલા છે. શ્રી અનુયોગદ્વારની ચૂર્ણમાં કહ્યું છે કે “સામાયિક કરનારા શ્રમણોપાસક(શ્રાવક)ને પાંચ ધર્મોપકરણ કહ્યા છે, તે આ પ્રમાણે –પહેલું ઉપકરણ સ્થાપનાચાર્ય, બીજું મુહપત્તી, ત્રીજું જપમાળા (નવકારવાળી), ચોથું ચરવળો અને પાંચમું કટાસણું.’’ પ્રથમ સ્થાપનાચાર્યને સ્થાપીને સામાયિક કરવું. તે સ્થાપના દશ પ્રકારની થાય છે—‘૧ અક્ષ, ૨ વરાટક, ૩ કાષ્ઠ, ૪ પુસ્તક, અને પ ચિત્રામણ. આ પાંચ પ્રકારની સ્થાપનાના સદ્ભાવ અને અસદ્ભાવ એવા બે ભેદ છે. તેમ જ ઇત્વરા અને યાવત્કથિતા એવા પણ બે ભેદ છે.'' એમ આવશ્યક નિર્યુક્તિના વંદનાઘ્યયનમાં કહેલું છે. આ ગાથા વડે એમ જાણવું કે ગુરુને અભાવે સ્થાપનાચાર્યની આગળ વંદનાદિ કરવું, તેમાં મુખ્યવૃત્તિ વડે કર્તા તરીકે સાધુ કહેલા છે. તે વિષે કહ્યું છે કે, ‘“પંચમહાવ્રતધારી, પ્રમાદરહિત, માને કરી વર્જિત બુદ્ધિવાળા, મોક્ષાર્થી અને નિર્જરાના અર્થા એવા મુનિમહારાજ કૃતિકર્મમાં વંદનાના દાતા છે.” પરંતુ સાધુની જેમ શ્રાવકે પણ વંદના કરવી. અહીં કોઈ શંકા કરે કે, શાસ્ત્રમાં કોઈ ઠેકાણે શ્રાવકને પણ સ્થાપનાચાર્યની સ્થાપના કહી છે? તેના ઉત્તરમાં કહેવાનું કે શ્રી વ્યવહારસૂત્રની ચૂલિકામાં કહ્યું છે કે—“સિંહ નામનો શ્રાવક દ્રવ્યાધિકારે દિવ્ય ઋદ્ધિ અને પુષ્પનો શેખર વગેરે છોડી દઈ સ્થાપનાચાર્ય સ્થાપીને પૌષધશાળામાં સ્થિત થયો. પછી કર્યા છે આભૂષણો દૂર જેણે એવા તે શ્રાવકે ઈરિયાવહી પડિક્કમી, મુખવસ્ત્રિકા પડિલેહી અને ત્યાર પછી ચાર પ્રકારનો પૌષધ કર્યો.'' આવી રીતે સિંહ શ્રાવકે સ્થાપના પ્રગટપણે ગ્રહણ કરેલી છે. વળી વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે “ગુરુને વિરહે સ્થાપના સ્થાપવી તે ગુરુના વચનના ઉપદર્શનને માટે છે. તે જિનને વિરહે જેમ જિનબિંબનું સેવન અને આમંત્રણ કરાય છે તે પ્રમાણે સમજવું.’ ભાગ ૩–૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy