SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૨] . સામાયિકના બત્રીશ દોષ ૧૫. આવા શુભ ધ્યાનમાં તત્પર રહી “જાવ નિયમ પવાસામિ” એ પાઠને અનુસારે ચિંતવેલા સમય સુધી ચંદ્રાવતંસ રાજાએ કાયોત્સર્ગ પાર્યો નહીં. જ્યારે સૂર્ય ઊગ્યો અને દીવો બુઝાઈ ગયો ત્યારે કાયોત્સર્ગ પાર્યો. તે વખતે રુધિરથી બન્ને પગ ભરાઈ ગયેલા હોવાથી પર્વતના શિખરની જેમ તૂટીને તે ભૂમિ ઉપર પડ્યો અને શુભ ધ્યાનથી મરણ પામીને સદ્ગતિને પ્રાપ્ત થયો. એ પ્રમાણે બે ઘડીનું સામાયિક ચિરકાળના કર્મને ભેદે છે અને ચંદ્રાવતંસ રાજાની જેમ વિશેષ કરવાથી તો વિશેષ ફળ થાય છે. જેમ જ માત્ર સ્પર્શ કરવાથી મલિનતાનો નાશ કરે છે અને દીપક કરવા માત્રથી ઘોર અંધકારને હણે છે.” વ્યાખ્યાન ૧૪૨ સામાયિકના બત્રીશ દોષ સામાયિક દોષ રહિત કરવું જોઈએ તે વિષે કહે છે द्वात्रिंशद्दोषनिर्मुक्तं, सामायिकमुपासकैः । विधिपूर्वमनुष्ठेयं, तेनैव फलमश्नुते ॥१॥ ભાવાર્થ-ઉપાસકો (શ્રાવકો)એ સામાયિક બત્રીશ દોષથી રહિત વિધિપૂર્વક કરવું, કારણ કે તેવી રીતે કરવાથી જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.” વિશેષાર્થ-સામાયિક બત્રીશ દોષ ટાળીને કરવું, તે બત્રીશ દોષમાં બાર કાયાના દોષ છે તે આ પ્રમાણે-૧ વસ્ત્ર વડે કે હાથ વગેરેથી પગ બાંધીને બેસે. ૨ આસનને આમતેમ હલાવે. ૩ કાગડાના ડોળાની જેમ દ્રષ્ટિ ફેરવ્યા કરે. ૪ કાયાથી પાપયુક્ત કાર્ય આચરે. ૫ પૂંજ્યા વગર સ્તંભ કે ભીંત વગેરેનો ટેકો લે. ૬ અંગોપાંગ સંકોચે અથવા વારંવાર લાંબા પ્રસારે. ૭ આળસ મરડે. ૮ હાથપગને આંગળાને વાંકા કરી ટાચકાં ફોડે. ૯ પ્રમાર્જન કર્યા વગર શરીરને ખણે. ૧૦ દેહનો મેલ ઉતારે. ૧૧ શરીરને ચંપાવવાની ઇચ્છા કરે. ૧૨ નિદ્રા વગેરેનું સેવન કરે. એ પ્રમાણે બાર કાયા સંબંધી દોષ જાણવા. હવે દશ વચન સંબંધી દોષ કહે છે–૧ સામાયિકમાં અપશબ્દ (ગાળ) બોલે. ૨ સહસાત્કારે ન બોલવાનું બોલી જાય. ૩ સાવદ્ય કામની આજ્ઞા આપે. ૪ મરજીમાં આવે તેમ બોલે. ૫ સૂત્રના આલાવાનો સંક્ષેપ કરીને બોલે. ૬ વચનથી કલહ કરે. ૭ વિકથા કરે. ૮ વચન દ્વારા હાસ્ય કરે. ૯ ઉઘાડે મુખે બોલે. ૧૦ અવિરતિ લોકોને “આવો, જાઓ' એમ કહે. એ દશ વચનસંબંધી દોષ છે. હવે દશ મન સંબંધી દોષ કહે છે–૧ વિવેક વગરના મન વડે સામાયિક કરે. ૨ યશકીર્તિની ઇચ્છા રાખે. ૩ ઘન, ભોજન અને વસ્ત્રાદિકની અભિલાષા કરે. ૪ મનમાં ગર્વ ઘરે. ૫ પરાભવ થતો જોઈ નિયાણું ચિંતવે. ૬ આજીવિકાદિકના ભયથી મનમાં બીએ. ૭ ઘર્મના ફળનો સંદેહ રાખે. ૮ રૌદ્ર ચિંતવનથી અને માત્ર લોક રીતિથી કાળમાન પૂર્ણ કરે. ૯ “આ સામાયિકરૂપ કારાગાર (બંદીખાના)માંથી ક્યારે છૂટીશ?” એવો વિચાર કરે. ૧૦ સ્થાપનાજી કે ગુરુને અંઘકાર વગેરેમાં રાખી મન વડે લક્ષ્ય કર્યા વગર ઉદ્ધતપણાથી વા શૂન્ય મનથી સામાયિક કરે. આ દશ મન સંબંધી દોષ છે. એ પ્રમાણે કુલ બત્રીશ દોષથી રહિત એવું સામાયિક શ્રાવકોએ વિધિપૂર્વક કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy