SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું શિક્ષાવ્રત–સામાયિક સામાયિક ઉપર એક ડોશીનું દૃષ્ટાંત કોઈ નગરમાં એક ઘનાઢ્ય ગૃહસ્થ રહેતો હતો. તે દાતાર હોવાથી હમેશાં પાત્રાપાત્રનો વિચાર કર્યા વગર લક્ષ સુવર્ણનું દાન આપ્યા પછી પોતાના પલંગ ઉપરથી નીચે ઊતરતો હતો. તેની પાડોશમાં એક વૃદ્ધ શ્રાવિકા રહેતી હતી. તે હમેશાં એક સામાયિક કરતી હતી. એક વખતે કોઈ કારણને લઈને તે ગૃહસ્થને દાન આપવામાં અને વૃદ્ધાને સામાયિક કરવામાં અંતરાય આવ્યો; તેથી બન્નેને ખેદ થયો. તે વૃદ્ધાનો ખેદ સાંભળી પેલા ગૃહસ્થે ગર્વથી કહ્યું કે—“અરે ડોશી! તું શેનો ખેદ કરે છે? એક વસ્ત્રનો કકડો લઈને હાથ વગેરેનું પ્રમાર્જન ન કર્યું તો તેથી શું જતું રહ્યું? તેમાં શું પુણ્ય થવાનું હતું? તે કામમાં દ્રવ્યનો ખર્ચ તો બિલકુલ જોવામાં આવતો નથી. જો એવી રીતે ધર્મ થતો હોય તો સર્વે હમેશાં તે જ કર્યા કરે; પછી કોઈ લક્ષ સુવર્ણનું દાન કરે જ નહીં.’’ તે સાંભળી વૃદ્ધા બોલી કે—“એવું કહો નહીં, કોઈ સુવર્ણમણિના પગથિયાવાળું દેરાસર કરાવે અને તેનું જે પુણ્ય મળે તેથી પણ સામાયિકમાં ઘણું પુણ્ય છે.' પછી ‘વળિસોવાળ’ એ ગાથા તેણે કહી સંભળાવી. વ્યાખ્યાન ૧૩૮] અનુક્રમે તે ગૃહસ્થ અંતકાલે આર્ત્તધ્યાનથી મૃત્યુ પામી હસ્તી થયો અને તે વૃદ્ધ શ્રાવિકા સામાયિકના ધ્યાનથી મૃત્યુ પામીને તે જ ગામના રાજાની પુત્રી થઈ. અનુક્રમે તે હસ્તીને અટવીમાંથી રાજાએ પકડ્યો અને તેને પોતાનો પટ્ટહસ્તી કર્યો. એકદા રાજમાર્ગે ચાલ્યા જતાં તે હસ્તીએ પોતાનું ઘર વગેરે જોયું, તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે મૂર્છા ખાઈ પૃથ્વી ઉપર પડી ગયો. તેને જોવા રાજપુત્રી ત્યાં આવી. તેને પણ પોતાનું ઘર વગેરે જોવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પોતાના ને હાથીના પૂર્વભવનું સર્વ સ્વરૂપ તેના જાણવામાં આવ્યું. એટલે તેણે પોતાના બે હાથે હાથીને ઉઠાડવા માંડ્યો તો પણ તે ઊઠ્યો નહીં; એટલે રાજપુત્રી બોલી– उठ सिठि मम भंत कर, करि हुओ दाणवसेण । हुं सामाइय राजधुअ, बहुगुण समहिय तेण ॥ १ ॥ “હે શેઠ! ઊઠ, ભ્રાંતિ ન કર, તું દાનના પ્રભાવથી હસ્તી થયો છે અને હું સામાયિકના પ્રભાવથી રાજપુત્રી થઈ છું; કેમ કે દાન કરતાં સામાયિકનું પુણ્ય અધિક છે.’’ આવું રાજપુત્રીનું વચન સાંભળી હસ્તી સત્વર બેઠો થયો. તેથી રાજા વગેરેને મોટું આશ્ચર્ય ઊપજ્યું. પછી રાજાએ પૂછ્યું એટલે પુત્રીએ બન્નેના પૂર્વભવનું વૃત્તાંત કહી સંભળાવ્યું. પેલો હસ્તી રાજપુત્રીના વચનથી પ્રતિબોઘ પામ્યો અને બે કાલ સામાયિક કરવા માટે પૃથ્વીની તરફ જ નીચી દૃષ્ટિ રાખી પોતાની ગુરુણીની સમીપે એક એક મુહૂર્ત સુધી સમતાથી રહેવા લાગ્યો. તે ભાવસામાયિકધારી હાથી સામાયિક લેવાને અને પૂર્ણ કરવાને વખતે પોતાની ગુરુણી જે રાજકન્યા તેને નમસ્કાર કરીને બેસવા તથા ઊઠવા લાગ્યો. પછી જાતિસ્મરણજ્ઞાન વડે ભક્ષ્યાભક્ષ્ય તથા પેયાપેય વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરી સમાધિ વડે આયુષ્ય પૂર્ણ કરીને આઠમા સહસ્રાર દેવલોકમાં દેવતા થયો. “કોઈ ધનાઢ્ય હમેશાં યાચકોને સુવર્ણની ભૂમિના દાન આપીને પછી સૂએ અને કોઈ ભવિપ્રાણી દ૨૨ોજ સામાયિક કરે તેમાં સામાયિક કરનારને અધિક પુણ્ય થાય છે, એમ મુનિવરો કહે છે; તેથી સર્વ ભવિ પ્રાણીઓએ પુણ્યરૂપ સામાયિક અવશ્ય કરવું.' For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy