SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયલક્ષ્મી સૂરિ વિચિત શા માસા હાજર ( રભ ૧છે વ્યાખ્યાન ૧૩૬ અનર્થદંડ વિરમણવ્રતના પાંચ અતિચાર અનર્થદંડ વિરમણ નામના આઠમા વ્રત સંબંધી ત્યાગ કરવા યોગ્ય પાંચ અતિચાર કહે છે. संयुक्ताधिकरणत्वमुपभोगातिरिक्तता । मौखर्यमथ कौकुच्यं, कंदर्पोऽनर्थदंडगाः॥१॥ ભાવાર્થ-બનિરંતર અઘિકરણો જોડેલાં તૈયાર રાખવાં, પોતાના ઉપભોગમાં જોઈએ તે કરતાં વિશેષ વસ્તુ તૈયાર રાખવી, મુખરપણું–અતિવાચાપણું કરવું, કુચેષ્ટા કરવી અને કામોત્પાદક વાણી બોલવી–એ પાંચ આઠમા વ્રતના અતિચાર છે. વિશેષાર્થ-એ પાંચ અતિચારનું સ્વરૂપ આ પ્રમાણે–(૧) જેનાથી આત્મા પૃથ્વી વગેરેમાં અધિકૃત થાય તે અધિકરણ કહેવાય. તેને સંયુક્ત એટલે બીજા અધિકરણો સાથે જોડી રાખવા. જેમકે ખાંડણીઆ સાથે સાંબેલું, હળ સાથે તેનું ફળું, ઘનુષ્યની સાથે બાણ, ગાડા સાથે ઘોંસરું, ઘંટીના એક પડ સાથે બીજું પડ અને કુહાડા સાથે હાથો-ઇત્યાદિ સંયુક્ત કરી રાખવાથી તે અનWક્રિયા કરવાને યોગ્ય થાય છે. તેને સજતૈયાર કરી રાખવાપણું તે સંયુક્તાધિકરણત્વ કહેવાય છે. તે વિષે આવશ્યક બ્રહવૃત્તિમાં કહ્યું છે કે, “શ્રાવકે ગાડાં આદિ અધિકરણો જોડી રાખવાં નહીં.” “આદિ' શબ્દથી વાંસલો, ફરસી વગેરે પણ તૈયાર રાખવાં નહીં, કારણ કે જો એ અધિકરણ જોડી રાખ્યાં ન હોય તો સુખપૂર્વક બીજાને પ્રતિષઘ કરી શકાય છે ના પાડી શકાય છે.) અગ્નિ પણ બીજાએ પોતાને ઘેર સળગાવી તૈયાર કર્યો હોય તેમાંથી લેવો, તથા ઘર, દુકાન વગેરેનો આરંભ અને પરગામ પ્રત્યે ગમન પોતે પ્રથમ કરવું નહીં. ચૌટામાંથી વને છેડે ઢાંક્યા વગર સર્વલોકોની દ્રષ્ટિ પડે તેમ શાકભાજી પણ લાવવા નહીં, કારણ કે તેમ કરવાથી પરંપરાએ પાપની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે कार्ये शुभेऽशुभे वाऽपि, प्रवृत्तिर्यैः कृतादितः । ज्ञेयास्ते तस्य कर्तारः, पश्चादप्युपचारतः॥४॥ શુભ કે અશુભ કાર્યમાં જેઓ પ્રથમ પ્રવૃત્તિ કરે છે તેઓ ત્યાર પછીનાં શુભાશુભ કાર્યનાં પણ કર્યા છે, એમ ઉપચારથી જાણવું.” આ પ્રમાણે હિંઢપ્રદાનરૂપ અનર્થદંડનો પ્રથમ અતિચાર જાણવો. (૨) ઉપભોગમાં–ઉપલક્ષણથી સ્નાન, ભોજન અને વસ્ત્ર વગેરે ભોગ્ય વસ્તુ જે અઘિક તૈયાર રાખવી તે પ્રમાદાચરણને લગતો બીજો અતિચાર છે. ભિાગ ૩-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy