SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨. સ્તિંભ ૬ રોહિણી બોલી કે, “રાજેન્દ્ર! જે વિવેકી હોય તે તો એક જ પાત્રમાંથી સ્વાદ લે, કારણ કે સર્વનો સ્વાદ એક જ છે. જેમ એમાં સ્થાન ને વર્ણનો ભેદ છતાં રસનું વિશેષપણું જણાતું નથી, તેમજ એક જ સ્ત્રી જાતિમાં રૂપ કે વેશાદિના ભેદથી શો ફેર પડે છે? જેમ કોઈ માણસ ભ્રાંતિથી આકાશમાં અનેક ચંદ્ર જુએ, પણ વસ્તુતઃ એ ચંદ્ર એક જ છે, તેમ કામી કામભ્રમથી ભ્રાંત થઈ એક જ સ્ત્રી જાતિને અનેકપણે જુએ છે. હે રાજ! લૌકિક શાસ્ત્રમાં પણ લિંગપુરાણને વિષે અબ્રહ્મ વિષે લખે છે કે, “એક માસ સુધી નિરાહાર રહેતો અને પારણાને દિવસે કંદમૂળ ખાતો એવો તાપસ પણ મનમાં તાપસીને ઇચ્છવાથી કમાડમાં મુખ નાખીને મૃત્યુ પામ્યો હતો. એ કથા એવી છે કે, સેલકપુરના ઉદ્યાનમાં એક મઠને વિષે માસોપવાસી તાપસ રહેતો હતો. એકદા ત્યાં કોઈ તાપસી આવી ચડી. તાપસે તેને રાત્રિવાસ કરવા આગ્રહ કર્યો, પણ પોતાના શીલભંગના ભયથી તેણે સૂચવ્યું કે, “ભો તાપસી! રાત્રે તમારે મજબૂત રીતે કમાડ વાસીને શયન કરવું. કારણ કે અહીં એક રાક્ષસ આવે છે તે કદી મારા જેવા સ્વરથી તમને બોલાવે અને એંઘાણી પણ આપે, તથાપિ તમારે કમાડ ઉઘાડવા નહીં. જો ઉઘાડશો તો તે રાક્ષસ તમારા દેહને ગળી જશે.” આ પ્રમાણે કહી તાપસ મઠની બહાર સૂતો. અર્ધરાત્રે કામવિકાર ઉત્પન્ન થવાથી તેણે અનેક રીતે આલાપ કરી તાપસીને બોલાવી. પણ પૂર્વશિક્ષિત તાપસીએ દ્વાર ઉઘાડ્યું નહીં. છેવટે અંદર પેસવાને છિદ્ર પાડી તેમાં મુખ નાખ્યું, પરંતુ તે દબાવાથી તાપસ ત્યાં જ મૃત્યુ પામ્યો. પરંતુ તેના શીલનું ખંડન નહીં થયેલ હોવાથી તે દેવતા થયો. પ્રાતઃકાળે સર્વની સમીપ પ્રગટ થઈ તે દેવે પોતાનું સ્વરૂપ કહી બતાવીને મૈથુનનો નિષેઘ કર્યો. વળી વિષ્ણુપુરાણમાં પણ લખે છે કે, “વારાણસીમાં ગંગાના તીર ઉપર નંદ નામના તાપસે ઘણાં વર્ષ સુધી તપસ્યા કરી હતી. એક વખતે ગંગામાં સ્નાન કરતી કોઈ સ્ત્રીને જોઈને તે મોહ પામ્યો. તેથી તેની પાછળ પાછળ તેને ઘેર જઈ તેની પ્રાર્થના કરી. ત્યારે તે સ્ત્રી બોલી કે, “હે તપસ્વી! હું ચાંડાલી છું અને તમે તપસ્વી છો, તો મારા જેવી નીચ સ્ત્રી સાથે તમારે વ્રત ખંડન કરવું યોગ્ય નથી.” તેના તે વચનને નહીં ગણકારીને તે કામાર્ત તાપસે તેની સાથે રતિક્રીડા કરી. પછી આંખો ઊઘડી, એટલે તેને ઘણો પશ્ચાત્તાપ થયો. તેથી કામને ધિક્કાર કરતાં પોતાનું મસ્તક શિલા ઉપર પટકીને તે મૃત્યુ પામ્યો. તે વખતે તે આ પ્રમાણે બોલ્યો હતો श्री रामराम धिधिग् मे, जन्मनो जीवितस्य च । __ याश्चरं दुश्चरं तप्त्वा, चांडालीसंगमं गतः॥१॥ ભાવાર્થ-અરે રામ, રામ, મારા જન્મને અને જીવિતને ધિક્કાર છે, કે જે હું દુશ્ચર તપસ્યા તપી પ્રાંત ચાંડાલીના સંગમને પ્રાપ્ત થયો.” શ્રી વીતરાગના શાસનમાં પણ કહ્યું છે કે, “જેમ કિંપાકના ફળ ખાતી વખતે સારાં અને મીઠાં લાગે છે, પણ પરિણામે મૃત્યુ આપે છે; તેમ વિષયભોગ પણ ભોગવતી વખતે સારાં લાગે છે, પણ પરિણામે અનેક ભવમાં મૃત્યુ આપે છે.” આવાં તે રોહિણીનાં વચનો સાંભળી નંદરાજાએ અન્યાયરૂપ વ્રણને રૂઝવનારી એવી તે રોહિણીને ખમાવીને કહ્યું કે ૧ કામાંધપણે નેત્ર મિંચાયેલા હતા, તે સદ્વિચાર આવવાથી ઊઘડ્યા એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy