SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ વ્યાખ્યાન ૮૫] ચોથું અણુવ્રત–પરદારાનો ત્યાગ તેણે દીક્ષા ગ્રહણ કરી, અને મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્યપણું પ્રાપ્ત કરી શિવસુખને સંપાદન કરતો હવો. ઉપરનું દ્રષ્ટાંત સાંભળી જે પ્રાણી સ્થિરપણાથી અદત્તાદાનનો નિયમ ગ્રહણ કરે છે તેને ઘન તથા સુવર્ણની ઉત્તમ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તે સાર્થવાહ પણ પરઘનનો ત્યાગ કરવાના નિયમથી દેવતાઓને પૂજવા યોગ્ય થયો હતો. તેથી હે ભવ્યો! તમે પણ આ વ્રત ગ્રહણ કરવાને વિષે યત્ન કરો. વ્યાખ્યાન ૮૫ ચોથું અણુવ્રત-પરદારાનો ત્યાગ હવે સ્વદાર સંતોષ નામે ચોથું અણુવ્રત કહે છે– संतोषः स्वेषु दारेषु, त्यागश्चापरयोषिताम् । गृहस्थानां प्रथयंति, चतुर्थं तदणुव्रतम् ॥१॥ ભાવાર્થ-“પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીનો ત્યાગ એ ગૃહસ્થને ચોથું અણુવ્રત કહેવાય છે.” પાંચ ઈદ્રિયોમાંથી સ્પર્શેન્દ્રિયનો અભ્યાસ જીવને ઘણો છે, કારણ કે દરેક ભવમાં તે ઇંદ્રિય હોય છે. તેને રોકવાથી સંસારવૃત્તિ મોળી પડી જાય છે. એ સ્પર્શ-ઇંદ્રિય માટે જીવ ઘન કમાય છે, કપડાંઘરેણાં-ઘર-ખેતરરૂપ પરિગ્રહને વઘારે છે. તે પ્રત્યેથી જેની વૃત્તિ ઓછી થાય, તેને સંસાર પ્રત્યેનો મોહ ઓછો થવાથી આત્મા પ્રત્યે વૃત્તિ વધે છે, આત્માના વિચાર તેને ગમે છે, આત્માની કથા તેને રુચે છે, તે સાંભળવામાં આનંદ આવે છે અને એમ કરતાં કરતાં જ્ઞાનીપુરુષે જાણેલા આત્માની શ્રદ્ધા, પકડ, પ્રતીતિ થાય છે. રુચિ સંસાર વઘારવાની જેને વર્તતી હોય તેને આત્મવિચાર કે આત્મકથા કે તેવું વાંચન, શ્રવણ છાર પર લીંપણા જેવું જુદું ને જુદું જ રહે છે, પરિણામ પામતું નથી. ગૃહસ્થોએ પોતાની વિવાહિત સ્ત્રીમાં જ સંતોષ રાખવો. બીજાની એટલે પોતાથી જુદા જે મનુષ્ય, દેવ અને તિર્યંચ તેની સ્ત્રીઓનો તેમ જ અન્ય પરિણીત, સંગ્રહિત અને વિઘવા સ્ત્રીઓનો પણ ત્યાગ કરવો. જો કે અપરિગૃહિત દેવીઓ અને તિર્યંચની સ્ત્રીઓ કોઈએ ગ્રહણ કરેલી નથી, તેમજ વિવાહિત નથી, તથાપિ તેઓ વેશ્યાતુલ્ય તેમજ પરજાતિને ભોગ્ય હોવાથી પરસ્ત્રી કહેવાય છે, તેથી તેનો ત્યાગ કરવો તે જ યોગ્ય છે. જે સ્વદારસંતોષી છે તેને તો બધી પરસ્ત્રીઓ જ છે. “દાર' શબ્દથી ઉપલક્ષણ વડે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય બીજા સર્વ પુરુષોને તજી દેવા એ ભાવાર્થ જાણવો. ગૃહસ્થોને માટે આ ચોથું અણુવ્રત શ્રી જિનેશ્વર ભગવંતે કહેલું છે. મૈથુન બે પ્રકારનું છે–સૂક્ષ્મ અને સ્કૂલ. કામના ઉદયથી જે ઇંદ્રિયોનો જરા વિકાર તે સૂક્ષ્મ અને મન, વચન, કાયાથી ઔદારિક દેહઘારી સ્ત્રી સાથે જે સંભોગ કરવો તે સ્કૂલ. અથવા મૈથુનત્યાગરૂપ બ્રહ્મચર્ય બે પ્રકારનું છે–સર્વથી અને દેશથી. તેમાં સર્વથી વિરતિ સ્વીકારવાને અશક્ત એવા ઉપાસકે (શ્રાવકે) દેશથી આ વ્રત ગ્રહણ કરવું. આ વ્રત વિષે નાગિલનો પ્રબંઘ છે. અહો! બ્રહ્મચર્ય વ્રત કેવું ઉત્તમ છે કે જે મુક્તિનું કારણ કહેવાય છે. વળી તે નાગિલને વિપત્તિનું વિનાશક પણ થયું હતું. તે નાગિલની કથા આ પ્રમાણે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy