SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ so શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ સ્તિંભ ૬ તેં ક્યાંય ચોરને જોયા? અમે ગોથિપુરના રાજાના સેવકો છીએ અને તે રાજાએ સંઘની રક્ષા કરવા માટે અમને મોકલ્યા છે.” તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “જો હું ચોરોને બતાવીશ તો આ રાજપુરુષો અવશ્ય તેઓને મારી નાખશે અને નહીં બતાવું તો તે ચોર લોકો સંઘને લૂંટી લેશે. હવે અહીં મારે શું બોલવું યુક્ત છે.' પછી જરા વિચારીને રાજા બોલ્યો કે, “મેં ચોરને જોયા નથી પણ તમારે કોઈ ઠેકાણે શોધી લેવા, અથવા તેમને શોઘવાની શી જરૂર છે? તમે સંઘની સાથે રહીને તેની રક્ષા કરો.” આવો ઉત્તર સાંભળી તેઓ ચાલ્યા ગયા. તેમના ગયા પછી સુભટો સાથે થયેલી વાતને સાંભળનારા તે ચોરો રાજા પાસે આવીને કહેવા લાગ્યા કે, “અરે ભદ્ર! તેં અમારા પ્રાણ બચાવ્યા, તેથી હવે અમે ચોરી કે હિંસા નહીં કરીએ. તેનો લાભ તને પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે કહી તે ચોરો પોતાને સ્થાનકે ચાલ્યા ગયા. ત્યાંથી રાજા આગળ ચાલ્યો. તેવામાં કેટલાક ઘોડેસવારોએ આવીને પૂછ્યું કે, “અરે પાંથ! અમારા શત્રુ હંસરાજાને તે કોઈ ઠેકાણે જોયો છે? એ અમારો કટ્ટો શત્રુ છે તેથી અમારે તેનો વિનાશ કરવો છે.” રાજા હંસ અસત્યના ભયથી બોલ્યો કે હું પોતે જ હંસ છું.” આ સાંભળી તેઓએ ક્રોધથી રાજાના મસ્તક ઉપર ખનો પ્રહાર કર્યો, પરંતુ તે જ વખતે ખગના સેંકડો કટકા થઈ ગયા અને રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. તત્કાળ એક યક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્યો કે- હે સત્યવાદી રાજા! તમે ચિરકાળ જય પામો. હે નૃપ!તમને આજે જ. જિનયાત્રા કરાવું, માટે તમે આ વિમાનને અલંકૃત કરો.” યક્ષનાં આવાં વચન સાંભળી હંસરાજા વિમાનમાં બેઠો, અને જિનેશ્વરની યાત્રા પૂજા કરી. યક્ષના સાન્નિધ્યથી શત્રુને જીતી રાજ્ય ભોગવી અનુક્રમે દીક્ષા લઈને સ્વર્ગ ગયો. હંસ એવા નામ માત્રને ઘારણ કરવાથી પક્ષી પણ જલાશયમાં સુખી થાય છે, તો જે હંસરાજ એવા નામને ઘારણ કરે તે ખરેખર સ્વર્ગમાં રહેલી અપ્સરાના સુખને પામે તેમાં શું આશ્ચર્ય!” વ્યાખ્યાન ૮૦. ત્રીજું અણુવ્રત-અદત્તાદાન વિરમણ હવે ત્રીજા વ્રતની વ્યાખ્યા કરે છે. तदाद्यं स्वामिनादत्तं, जीवादत्तं तथापरम् । तृतीयं तु जिनादत्तं, गुर्वदत्तं तुरीयकम् ॥१॥ सूक्ष्मबादरभेदाभ्या-माद्यादत्तं द्विधा मतम् । सूक्ष्मे हि यतना कार्या, श्राद्धं स्थूलं च संत्यजेत् ॥२॥ ભાવાર્થ-“અદત્તાદાન (ચોરી) ચાર પ્રકારે છે. પ્રથમ સ્વામીનું અદત્ત, બીજું જીવનું અદત્ત, ત્રીજું શ્રી તીર્થંકરનું અદત્ત અને ચોથું ગુરુનું અદત્ત. તે ચાર ભેદમાં પહેલું જે સ્વામી અદત્ત છે તે સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદવાળું છે. શ્રાવકે સૂક્ષ્માદત્ત વિષે યતના કરવી અને સ્કૂલાદત્તનો ત્યાગ કરવો.” જે સુવર્ણ નાણું વગેરે તેના સ્વામીએ ન આપ્યું હોય છતાં લેવું તે પહેલું સ્વામીઅદત્ત જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy