SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પક શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ અનુક્રમે પુત્ર મોટો થયો. એક વખતે પુણ્યસાર શેઠ ભોજન કરતા હતા તેવામાં પ્રચંડ પવનનો વંટોળીઓ આવવાથી તેના ભાણામાં રજ પડવા માંડી, ત્યારે સ્ત્રીએ આવીને પોતાના વસ્ત્રનો છેડો આડો રાખ્યો. તે વખતે પુણ્યસારને તેનું પૂર્વ ચરિત્ર યાદ આવ્યું, તેથી કાંઈક હાસ્ય થયું. પુત્રે એકાંતે જઈને પિતાને હાસ્યનું કારણ પૂછ્યું. પુત્રનો ઘણો આગ્રહ થવાથી પિતાએ તેની માતાનું પૂર્વ ચરિત્ર કહી દીધું. એક વખત પુણ્યસારના પુત્રની સ્ત્રી તેના પતિ આગળ પોતાની સ્ત્રી જાતિ માટે ગર્વ કરતી હતી, તે વખતે પુત્રે પોતાની માતાનું ચરિત્ર તેની આગળ જણાવીને કહ્યું કે, તમારી સ્ત્રી જાતિને ધિક્કાર છે. નીતિમાં કહ્યું છે કે, नितंबिन्यः पतिं पुत्रं, पितरं भ्रातरं क्षणात् । आरोपयंत्यकार्येऽपि, दुवृत्ताः प्राणसंशये ॥ ભાવાર્થ-દુરાચારિણી સ્ત્રીઓ પતિ, પુત્ર, પિતા અને ભ્રાતાને પણ પ્રાણસંશયવાળા અકાર્યને વિષે ક્ષણવારમાં નાખી દે છે. તેવી સ્ત્રીઓમાં કયો પુરુષ પ્રેમ બાંધે? તે વિષે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે – वंचकत्वं नृशंसत्वं, चंचलत्वं कुशीलता । एते नैसर्गिका दोषा, यासां तासु रमेत कः?॥ ભાવાર્થ-“વંચકતા, ક્રૂરતા, ચંચળતા અને કુશીલપણું એટલા તો જે સ્ત્રી જાતિમાં સ્વાભાવિક દોષ છે, તેવી સ્ત્રીઓ સાથે કોણ પ્રીતિ બાંધે? આ બધું સાંભળી તે સ્ત્રી મૌન ઘરીને બેસી રહી. અન્યદા સાસુવહુને પરસ્પર કલહ થયો. એટલે એકબીજાના મર્મની વાતો ઉઘાડી કરવા માંડી. તે પ્રસંગે વહુએ પોતાના પતિ પાસેથી સાંભળેલી વાત મહેણાના રૂપમાં કહી દીધી. તે સાંભળતાં જ સાસુના મનમાં વિચાર આવ્યો કે, “અહો! મારા પતિએ આટલા વખત સુધી મારી ગુહ્ય વાત ગુપ્ત રાખી છેવટે આ વહુ આગળ પ્રગટ કરી, તેથી મારે હવે જીવીને શું કરવું?” આવું ચિંતવી ગળાફાંસો બાંધી તે મૃત્યુ પામી. તે જોઈ પુણ્યસાર શેઠે પણ દેહ ત્યાગ કર્યો. તેવો બનાવ જોઈ શ્રેષ્ઠીપુત્રને વૈરાગ્ય થયો, તેથી તે પોતાની સ્ત્રીને છોડી દઈને દીક્ષા લઈ ચાલી નીકળ્યો. ઉપરની કથા સાંભળી કોઈએ કોઈની ગુપ્ત વાત પ્રગટ કરવી નહીં. જેઓ બીજાના ગુહ્યને ઢાંકે છે તેઓ ખરેખર ઘન્ય છે. તે ઉપર કપાસના છોડનું દ્રષ્ટાંત કહેવાય છે. જેમ કપાસના છોડ જેવા પુત્રને તો કઈ વિરલ માતા જ જણે છે કે જેઓ પોતાનું અંગ (કપાસ) કાઢીને ગુણ વડે બીજાના ગુહ્યને ઢાંકી દે છે, એટલે સૂતર વડે મનુષ્ય માત્રને વસ્ત્ર પૂરાં પાડી સર્વના દેહને ઢાંકે છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “જે નરાઘમો પરસ્પરના મર્મ ઉઘાડાં કરે છે, તેઓ ઉદરના અને રાફડાના સર્પની જેમ મૃત્યુને પામે છે.” તેની કથા આ પ્રમાણે છે બે સર્પની કથા પૃથ્વીપુર નામના નગરમાં સુંદર નામે રાજા હતો. તેને એકદા વક્રશિક્ષિત અશ્વ કોઈ અરણ્યમાં લઈ ગયો. જ્યારે અશ્વ થાકીને ઊભો રહ્યો ત્યારે તે રાજા અશ્વ ઉપરથી ઊતરી શાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy