SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૩૪] પ્રમાદાચરણ વિષે વિશેષ વ્યાખ્યાન ૨૧૯ નિવારી પોતાના હાથના સ્પર્શમાત્રથી રાજકુંવરનો કોઢ મટાડ્યો. રાજાએ તે બન્નેનું પાણિગ્રહણ કરાવ્યું, અને વિવાહ ઉત્સવ કરી પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા ગ્રહણ કરી. એકદા તે નગરમાં પોટિલાચાર્ય પધાર્યા. તેમને વંદના કરવા માટે રાજા અને રાણી ગયા. દેશના સાંભળીને તેમણે પોતાનો પૂર્વભવ પૂછ્યું. ગુરુ બોલ્યા–“વસંતપુર નગરમાં દેવદત્ત નામે એક વ્યાપારી હતો. તેને ઘનેશ્વર વગેરે ચાર પુત્રો મિથ્યાત્વી હતા. તે અરસામાં મૃગપુર નામના નગરમાં જિનદત્ત નામે શ્રેષ્ઠીને મૃગસુંદરી નામે એક પુત્રી હતી. તેણે ત્રણ અભિગ્રહ લીઘા હતા કે, જિનેશ્વરની પૂજા કરીને અને મુનિને દાન આપીને જમવું અને રાત્રે જમવું નહીં. એક વખતે વ્યાપાર કરવાને માટે પેલો ઘનેશ્વર શ્રેષ્ઠીપુત્ર મૃગપુરે આવ્યો. તેણે જિનદત્ત શ્રાવકની પુત્રી મૃગસુંદરીને દીઠી, તેથી તે તેની ઉપર રાગવાળો થયો. પણ “હું મિથ્યાત્વી છું, તેથી આ કન્યાનો પિતા શ્રાવક મને તે કન્યા આપશે નહીં” એવું વિચારીને તે કપટી શ્રાવક થયો; અને કોઈ રીતે તેના પિતાને સમજાવી તે કન્યાને પરણીને પોતાને ઘેર લાવ્યો. ત્યાં ઘર્મની ઈર્ષ્યાથી તેણે મૃગસુંદરીને જિનપૂજા કરવાનો નિષેઘ કર્યો. તેને જિનપૂજા કર્યા સિવાય જમવાનો ત્યાગ હોવાથી ત્રણ ઉપવાસ થયા. તેણે કોઈ મુનિમહારાજને તે વિષે પૂછ્યું, એટલે ગુરુએ લાભાલાભ વિચારીને કહ્યું કે, “તું ચૂલા ઉપર ચંદરવો બાંઘ અને ભાવથી પંચતીર્થની સ્તુતિ કરી, પાંચ સાધુને નિત્ય દાન દે, તેથી તને તારા અભિગ્રહ પ્રમાણે ફળ થશે.” તેણે તે પ્રમાણે કર્યું. પરંતુ તેના સસરા વગેરેએ ચૂલા ઉપર ચંદરવો દેખીને ઘનેશ્વરને કહ્યું કે, “આ તારી સ્ત્રીએ કાંઈક કામણ કરેલું છે. તે સાંભળી ઘનેશ્વરે તેણે બાંધેલા ઉલ્લેચને બાળી નાખ્યો. મૃગસુંદરીએ પુનઃ બીજો ઉલ્લેચ બાંધ્યો. તે પણ ઘનેશ્વરે બાળી નાખ્યો. એવી રીતે સાત ઉલ્લેચ બાળી નાખ્યા. પછી મૃગસુંદરીને તેના સસરાએ કહ્યું કે, “હે ભદ્ર! શા માટે ઉલ્લેચ બાંઘવાનો પ્રયાસ કરે છે? મૃગસુંદરીએ કહ્યું કે, “જીવદયા માટે.” ત્યારે તેના સસરાએ ક્રોધથી કહ્યું કે, “ચંદરવા બાંઘવા હોય તો તારા બાપને ઘેર જા.” તે બોલી કે–“તમે બધું કુટુંબ સાથે આવીને મને મારે પિયર મૂકી જાઓ.” પછી સર્વે તેને મૂકવા ચાલ્યા. માર્ગમાં કોઈ ગામ આવ્યું. ત્યાં સસરાના પક્ષના કોઈ સગાએ સર્વની મહેમાનગતિ કરવા માટે તેમને જમાડવાને રાત્રે રસોઈ કરી. જમવાને અવસરે મૃગસુંદરીને ઘણું કહ્યું, તોપણ તે જમવા ઊઠી નહીં, એટલે બીજા પણ જમ્યા નહીં, તેથી જેને ઘેર રાંધ્યું હતું તેના ઘરના બઘા જમ્યા. તેઓ સર્વે રાત્રિમાં મૃત્યુ પામી ગયા. પ્રાતઃકાળે મૃત્યુનું કારણ તપાસતાં રાંધવાના પાત્રમાં સર્પ જોવામાં આવ્યો. સર્વેએ વિચાર્યું કે, “રાત્રે રાંઘવા માટે થયેલા ઘુમાડાથી આકુળવ્યાકુળ થયેલો સર્પ અન્નના પાત્રમાં પડ્યો હશે.” પછી સર્વેએ મૃગસુંદરીની ક્ષમા માંગી. મૃગસુંદરી બોલી કે, “આ કારણ માટે જ મેં ચૂલા ઉપર ચંદરવો બાંધ્યો હતો, અને રાત્રે હું ભોજન કરતી નથી, તેનું કારણ પણ અહીં પ્રત્યક્ષ તમે જોયું છે. તે સાંભળી સર્વને પ્રતિબોઘ થયો. પછી તેણે સર્વને જીવિતદાન આપ્યું છે એમ માનીને સર્વે તેને કુળદેવીની જેમ માનવા લાગ્યા; અને તે ગામથી સર્વે પાછા પોતાને ઘેર આવ્યા. અનુક્રમે મૃગસુંદરી અને ઘનેશ્વર ઘર્મની આરાઘના કરીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવીને તમે રાજા અને રાણી થયા છો. હે રાજા! તેં પૂર્વભવે સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy