SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૯ એવી વાર્તા છે કે, ‘‘કોઈ શ્રાવક અને ચોર બન્ને પોતપોતાના ઘરેથી સાથે નીકળ્યા. શ્રાવક ચોરની આગળ આગળ પ્રભુના દર્શન કરવા જતો હતો, ત્યાં માર્ગે તેના પગમાં કાંટો વાગ્યો. અને પેલા ચોરને આગળ જતા રસ્તામાં એક રૂપિયો જડ્યો તેથી તે હર્ષ પામ્યો. આથી શ્રાવક વિચારમાં પડ્યો, કે, ‘અહો! અધર્મીને સારું ફળ અને ધર્મીને દુઃખ—આ કેવી વાત?” આ સંદેહ તેણે ગુરુ પાસે જઈને પૂછ્યો એટલે ગુરુ બોલ્યા કે, ‘હે શ્રાવક! તારું પાપ પગમાં કાંટો વાગવાથી નાશ પામ્યું અને તે ચોરને આગળ જતાં રાજાના સુભટો પકડીને શૂળીએ ચડાવશે.’ ક્ષણવારમાં તેમજ બન્યું અને તે પેલા શ્રાવકના સાંભળવામાં આવ્યું. ત્યારથી તે શ્રાવક નિરંતર શુદ્ધ વ્યાપારમાં તત્પર થયો.’’ “આ પ્રબંધને હૃદયમાં ઉતારી દ્રવ્યની હાનિના હેતુરૂપ કૃપણતા વગેરે દોષોને તજી દઈ હમેશાં શુદ્ધ વ્યવહાર રાખવો કે જેથી દ્રવ્યની વૃદ્ધિ થાય.’ 19 વ્યાખ્યાન ૧૨૦ માયા-કપટનું ફળ હવે માયા-કપટ કરવાનું ફળ કહે છે— कूटस्य जल्पनं मोच्यं, राज्ञां पुरो विशेषतः । दंभात्कीर्तिश्रियोर्हानिः तस्मात् श्राद्धः परित्यजेत् ॥ १॥ ભાવાર્થ—“ફૂડ-કપટથી બોલવું નહીં, તેમાં પણ વિશેષે કરીને રાજાની આગળ તો બોલવું જ નહીં. દંભ કરવાથી કીર્તિ અને લક્ષ્મીની હાનિ થાય છે, તેથી ગૃહસ્થે (શ્રાવકે) તેનો ત્યાગ કરવો.’’ વિશેષાર્થ-લેવડ-દેવડ વગેરેમાં કપટથી બોલવું નહીં; તેમજ કોઈનું ગુહ્ય બીજાની આગળ પ્રકાશિત કરવું નહીં. કહ્યું છે કે, “પોતાના અને પોતાની સ્ત્રીના આહાર, સુકૃત, દ્રવ્ય, ગુણ, દુષ્કર્મ, મર્મ અને મંત્ર (ગુપ્ત કાર્ય) એટલાં કોઈની આગળ પ્રકાશ કરવા નહીં.’’ અહીં કોઈ શંકા કરે કે, “આ શ્લોકમાં તો સત્ય ભાષણ કરવાનો નિષેધ કર્યો; કારણ કે ઉપરની બાબતોમાં કોઈ પૂછે તો તેની આગળ પ્રકાશ ન કરવાથી અસત્ય જ બોલવું પડે, તેથી તમે કૂટ-ભાષણ કરવાનો નિષેધ કેમ કરો છો?’’ તેના ઉત્તરમાં કહેવાનું કે, ‘‘કોઈ આયુષ્ય, દ્રવ્ય અને ઘરનું છિદ્ર વગેરે પૂછે તો તેના ઉત્તરમાં જૂઠું બોલવું નહીં, પણ તેને ‘આવા પ્રશ્નથી શું?’ એમ કહી ભાષાસમિતિ (બોલવાની યુક્તિ) વડે પ્રત્યુત્તર આપવો.’’ તેમાં વળી રાજાની આગળ તો ફૂટવચનનો વિશેષપણે ત્યાગ કરવો. ઉપલક્ષણથી ગુરુરૂવડીલ પ્રમુખની આગળ પણ જે યથાર્થ હોય તે જ કહેવું. કહ્યું છે કે, “મિત્રની આગળ સત્ય કહેવું, સ્ત્રીની પાસે પ્રિય કહેવું, શત્રુની આગળ મધુર અને ખોટું કહેવું અને સ્વામી આગળ અનુકૂળ તથા સત્ય હોય તે કહેવું.’’ તે ઉપર એક વાર્તા કહેવાય છે તે આ પ્રમાણે ‘દિલ્લી શહેરમાં મહણસિંહ નામે એક શાહુકાર હતો. તે સત્યવાદી અને શુદ્ધ વ્યવહારવાળો છે એવી તેની પ્રશંસા સાંભળી બાદશાહે તેને બોલાવીને પૂછ્યું કે, તારી પાસે કેટલું ઘન છે? મહણસિંહે જવાબ આપ્યો કે, ‘હું ચોપડા જોઈ લેખું કરીને આપને કહીશ.' એમ કહી ઘેર આવી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy