SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૭ અગાઉથી સંકેત કરી વૃક્ષ ઉપર રાખેલા પુરુષોએ તે સ્ત્રીઓને તેવા ખબર આપ્યા, એટલે તત્કાળ તેઓ શાપના ભયથી નાસી ગઈ અને રાજાની આગળ આવીને તે વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી રાજાએ ‘“અહો! મારો બંઘુ બન્નેથી ભ્રષ્ટ થયો, તેથી તેના શા હાલ થશે?' આવું ચિંતવી તેની દિલગીરીમાં આખા નગરમાં ગીત નૃત્યાદિકનો નિષેધ કર્યો. હવે અહીં વલ્કલચીરી વનમાં ભમતો હતો, ત્યાં કોઈ રથવાળાએ તેને દીઠો, એટલે તેણે પૂછ્યું કે—‘મુનિ! તમે ક્યાં જાઓ છો?' તે બોલ્યો, ‘હું પોતનાશ્રમમાં જવા ઇચ્છું છું.' એટલે રથવાળાએ કહ્યું કે—‘હું પણ ત્યાં જ જઉં છું.’ તેથી વલ્કલચીરી રથની પછવાડે પછવાડે ચાલ્યો. તે રથમાં રથવાળાની સ્ત્રી બેઠી હતી તેને મુનિ ‘હે તાત’ ‘હે તાત’ એમ કહેવા લાગ્યો. ત્યારે તે સ્ત્રીએ તેના પતિને કહ્યું કે, “આ મુનિ સ્ત્રી-પુરુષનો ભેદ પણ જાણતો નથી.’ પછી રથિકે તેને મુગ્ધ જાણી મોદક ખાવા આપ્યા. તેનો સ્વાદ લઈ મુનિ બોલ્યા-‘અહો જાણવામાં આવ્યું, આ ફળ પૂર્વે મને પેલા મહાશયોએ આપ્યા હતા તે જ છે.' પછી આગળ જતાં રથિકે એક ચોરને યુદ્ધ કરી જીતી લીધો. ચોરે રથિકને ઘણું ઘન આપ્યું. તે લઈ રથિક પોતનપુરમાં આવ્યો. ત્યાં રથિકે મુનિને કહ્યું કે, ‘હે બાળમુનિ! આ ધન લો. ધન વગર અહીં સ્થાન ભોજન મળશે નહીં.’ પછી તેને કેટલુંક ઘન આપી ‘“આ પોતનાશ્રમ છે’’ એમ કહી તે રથિક ત્યાંથી ચાલ્યો ગયો. હવે બાલમુનિ નગરમાં ચાલ્યો. ત્યાં દુકાનોની શ્રેણી અને હવેલીઓ જોઈ વિચાર કરવા લાગ્યો કે ‘હું ક્યાં આવ્યો? આ આવું શું હશે?’ વળી માર્ગે કોઈ નર કે નારી મળે તો તે તેને ‘તાત! વંદન કરું છું.’ એમ કહેવા લાગ્યો. લોકો તેને તેમ કરતાં જોઈને હસવા લાગ્યા. આમ કરતા કોઈ વેશ્યા તેના જોવામાં આવી, એટલે તેને મુનિ જાણી મૂલ્ય આપીને નિવાસ તથા ફળાદિકની તેણે યાચના કરી. તેણે તેને પોતાના ઘરમાં બોલાવીને અલ્ટંગ સ્નાન કરાવ્યું. મુનિએ ઉપસર્ગની જેમ તે સહન કર્યું. પછી તેણે તેની સાથે પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. સોમચંદ્રનો પુત્ર બાળમુનિ વેશ્યાના ગીતનૃત્ય સાંભળી અને જોઈ ચિંતવન કરવા લાગ્યા કે, ‘‘આ બધા શું ભણે છે? તેઓ મને ફળ કેમ આપતા નથી?’ આ વખતે રાજાએ તે વેશ્યાને ઘેર થતો મૃદંગ ધ્વનિ સાંભળ્યો, તેથી તત્કાળ તેને બોલાવી રાજાએ પૂછ્યું કે—‘મારે ઘેર શોક છતાં તું વાદ્ય કેમ વગાડે છે?” વેશ્યા બોલી—‘દૈવજ્ઞ (જોષી)ના વચનથી મેં એક તાપસકુમારને કન્યા આપી છે, તેના હર્ષમાં મારે ત્યાં વાદ્ય વાગે છે.’ આ વાર્તા સાંભળી તે જ વખતે રાજાનું દક્ષિણ અંગ ફરક્યું, તેથી તેને નિશ્ચય થયો કે, ‘જરૂર મારો બંધુ જ ત્યાં આવ્યો હશે.' આથી રાજા તરત તે વેશ્યાને ઘેર ગયો. ત્યાં પોતાના અનુજ બંધુને જોઈ રાજાએ પ્રેમથી તેનું વિવાહમંગળ કર્યું અને પોતાના બંધુને તે સ્ત્રી સહિત દરબારમાં લાવ્યો. અનુક્રમે તે સર્વ કળામાં કુશળ થયો. પછી રાજાએ આ વૃત્તાંત પોતાના પિતા સોમચંદ્રને જણાવ્યું, તેથી તે શોક રહિત થયા. હવે રાજ્યમાં રહેતાં અને સ્ત્રી સાથે વિષયસુખ ભોગવતાં વલ્કલચીરીને બાર વર્ષ વીતી ગયા. એકદા અર્ધરાત્રે જાગૃત થતાં વલ્કલચીરીને વિચાર આવ્યો કે, ‘અહો! મારા અકૃતજ્ઞપણાને ધિક્કાર છે અને મારા અજિતેંદ્રિયપણાને પણ ઘિક્કાર છે, કે જેથી હું મારા પિતાને ભૂલી જઈને અહીં પડ્યો છું.’ આ પ્રમાણે વિચારીને તે પોતાના પિતાને જોવા અતિ ઉત્સુક થયો. તેથી પ્રાતઃકાળે ભાઈની આજ્ઞા લઈને પિતા પાસે જવા ચાલ્યો. વડીલ ભાઈ પણ લઘુ બંધુની સાથે જવા તૈયાર For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy