SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૨] શીલવતનો મહિમા ૯૫ હતો; તથાપિ કોઈ કુમારના રૂપ ઉપર તેને પ્રીતિ થતી નહોતી. એક વખતે રાજાએ ભવિષ્યદત્ત અને પવનંજય કુમારના રૂપ ચિત્રપટ ઉપર આલેખી મંગાવી તેને બતાવ્યા. બન્ને કુમારના કુળ, શીલ, બળ અને રૂપ સુંદર જોઈ તે ચિત્રો તેણે પોતાની પાસે રાખ્યા. એક વખતે રાજા અંજનકેત મંત્રીઓની સાથે તે કુમારોના ગુણ વગેરેનો વિચાર કરવા લાગ્યો. તેણે મુખ્ય મંત્રીને પૂછ્યું કે, “આ કુમારમાં વિશેષ કોણ છે?” મંત્રીએ કહ્યું “મહારાજ! ભવિષ્યદત્ત કુમારમાં જોકે ઘણા ગુણો છે તથાપિ શ્રી ભગવંતે કહ્યું છે કે, ભવિષ્યદત્ત અઢાર વર્ષની વયે મોક્ષ પામશે, તેથી એ આપણી કન્યાને યોગ્ય વર નથી; માટે સાંસારિક દ્રષ્ટિએ આ પવનંજય કુમાર જ સર્વ રીતે યોગ્ય છે.” આ પ્રમાણે મંત્રીના કહેવાથી રાજાએ તેની સાથે અંજનાના લગ્ન નિર્ધાર્યા. આ ખબર પવનંજય કુમારને થતાં તે ઋષભદત્ત નામના પોતાના મિત્રને સાથે લઈ અંજનાનું લાવણ્ય તથા તેનો પ્રેમ જોવા માટે ત્યાં આવ્યો. બન્ને નીલ વસ્ત્ર ઘારણ કરી રાત્રે ગુપ્ત રીતે શ્વસુરગૃહના અંતઃપુરમાં દાખલ થયા. ત્યાં મઘુર આલાપ થતો તેમના સાંભળવામાં આવ્યો. કોઈ સખી અંજનાને કહેતી હતી કે “સ્વામિની! તમે છેવટે જે બે કુમારોના ચિત્ર જોયા હતા, તેમાં જે ભવિષ્યદત્ત છે તે ગુણોથી અધિક અને ઘર્મજ્ઞ છે, પણ અલ્પ આયુષ્યવાળો છે એવું જાણી તેને છોડી દીધો છે; અને બીજા પવનંજય દીર્ધાયુ હોવાથી તેની સાથે આપનો સંબંધ થયો છે.” તે સાંભળી અંજના બોલી, “સખી! અમૃતના છાંટા થોડા પણ મીઠા અને દુર્લભ હોય છે, અને વિષ હજાર ભાર હોય તો પણ તે કશા કામનું હોતું નથી.” તે સાંભળી પવનંજયકુમાર તેના ઉપર ક્રોઘાયમાન થઈ પડ્ઝ ખેંચીને તેને મારવા તૈયાર થયો. તેને મિત્રે વાર્યો અને કહ્યું, “મિત્ર! આ વખતે રાત્રિ છે, આપણે પારકે ઘેર આવ્યા છીએ, વળી આ કુમારી કન્યા છે, જ્યાં સુધી તેને તમે પરણ્યા નથી ત્યાં સુધી તે પરકીયા છે, તેથી તેને હણવી યોગ્ય નથી.” પછી બન્ને ત્યાંથી પોતાને સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી પવનંજય તેની ઉપર અત્યંત ખેદ વહન કરવા લાગ્યો. પછી તેની સાથે પાણિગ્રહણ કરવાને તે ઇચ્છતો નહોતો, તથાપિ તેના પિતા વગેરેએ માંડમાંડ સમજાવીને તેને પરણાવ્યો. પરંતુ ચોરીમંડપમાં પવનંજય કુમારે રાગથી તેના મુખ સામું પણ જોયું નહીં અને પરણ્યા પછી પણ તેણે તેને બોલાવી નહીં. આથી તે નિરંતર દુઃખી સ્થિતિને અનુભવવા લાગી. ઘણા ઉપાયે પણ તેને ભર્તારનું સુખ પ્રાપ્ત થયું નહીં. એવી રીતે બાર વર્ષ વીતી ગયા. એ અવસરે પ્રતિવાસુદેવ રાવણ વરુણ વિદ્યાઘરને સાધવા ગયો હતો. ત્યાંથી તેનો એક દૂત પ્રહ્માદન રાજાને બોલાવવા માટે આવ્યો. પ્રહ્માદન રાજાને ત્યાં જવા તૈયાર થતા જોઈ પવનંજય તેમનું નિવારણ કરી, તેમની આશિષ લઈ, દ્રષ્ટિમાર્ગે રહેલી અંજનાની સામું પણ જોયા વગર ત્યાંથી ચાલી નીકળ્યો. પ્રયાણ કરતાં માર્ગે માનસરોવર આવ્યું, ત્યાં તેણે પડાવ કર્યો. ત્યાં કમલવનને વિકાસ પામેલું જોઈ તે આનંદ પામ્યો. રાત્રિએ અંધકારને લીધે પતિથી વિખૂટી પડી ગયેલી ચક્રવાક પક્ષીની સ્ત્રીને કરુણ સ્વરે વિલાપ કરતી તેણે સાંભળી. તે આ પ્રમાણે आयाति याति पुनरेति पुनः प्रयाति । पद्मांकुराणि विचतनोति धुनौति पक्षौ ॥ उन्मादति भ्रमति कुंजति मंदमंदं । कांतावियोगविधुरा निशि चक्रवाकी ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy