SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતસુધારસઃ ઉચ્ચ તે આચાર્ય હતા અને આ બીજા આચાર્ય ને તે શ્રીમંઘવ્યું. ૧૯૭૬ માં કાળ કરી ગયા. તેમની કૃતિઓ પણ વિવિધ અજયઆનંદસૂરિ આવ્યા. આ વખતે એક એઘવજય ઉપાધ્યાય . . ભારે મજાની છે. એમનું દેવાનંદાલ્યુદય કાવ્ય જલદ ધાનકાવ્ય ભાષા, અલંકાર અને કાવ્યની નજરે અતિ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. અને તે ઉપરાંત તેમણે જ્યોતિષ તથા વ્યાકરણ પર પણ બહુ સુંદર ગ્રંથો લખ્યા છે, પંચતંત્ર જેવું પંચાખ્યાન લખ્યા ઉપરાંત શ્રી વિજયપ્રભસૂરિનું જીવન બતાવનાર દિવિજય મહાકાવ્ય લખ્યું છે અને અધ્યાત્મ વિષયમાં માતૃકાપ્રસાદ ગ્રંથ રચ્યા છે. આ યુગમાં ગુજરાતી કવિએ પણ ઘણા થયા છે. એની વિશિષ્ટ કૃતિઓનું વર્ણન જેના ગુર્જર કવિઓના બીજા ભાગમાં શ્રી મેહનલાલ દ. દેશાઈએ ખૂબ વિવેચનપૂર્વક કર્યું છે. એના ગ્રંથકર્તાનાં નામ અને કૃતિઓને વિસ્તાર જોતાં એ જૈન સાહિત્યને જ્ઞાનકાળી ગણાય. એ યુગમાં બહુ સારી ગુજરાતી કળાકૃતિઓ રચાઈ છે અને સંસ્કૃત સાહિત્યનું ખેડાણ પણ સારું થયું છે. સાહિત્યની નજરે અઢારમી સદીને પૂર્વાધ જૈન સાહિત્યના એક પ્રશસ્ય યુગ તરીકે સર્વ દિશાઓમાં ફરકી રહે છે એમ લાગ્યા વગર રહે તેમ નથી. આ યુગના વિશિષ્ટ જેન લેખક તરીકે તે શ્રીમદ્યશવિજય ઉપાધ્યાય જ રહેશે, કારણ કે એમનામાં અતિ તીણ ચર્ચા કરતી ન્યાય કૃતિઓ કરવાની શક્તિ હતી, તેમજ “ જગજીવન જગવાલહો ' જેવા ભાવવાહી અને સાદા તથા અર્થ ગર્ભિત સ્તવન લખવાની પણ આવડત હતી. ખંડખાદ્ય જેવા ન્યાયના ગ્રંથ લખનાર સન્મતિતર્ક પર ટીકા લખે, જ્ઞાનસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy