SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી.શાંતસુધારસ ફુ શ્રી માનદેવસૂરિ ( ૩૩ ) થયા. ત્યારપછી શ્રી વિમલચદ્ર (૩૪) ગુરુ થયા. ત્યારપછી શ્રી ઉદ્યોતન (૩૫) નામના ગુરુ થયા. ત્યારપછી શ્રી સદેવ (૩૬ ) નામના મુનીંદ્ર થયા. ત્યારપછી શ્રી દેવસૂરિ ( ૩૭ ) અને ત્યારપછી ફરીથી શ્રી સર્વ દેવ (૩૮) નામના ખીજા સૂરિ થયા. ત્યારપછી આ ભૂતળને વિષે પ્રસિદ્ધ જાણે કે નિરંતર ઉદય પામેલા નવીન સૂર્યચંદ્ર હાય એમ ઘણા ગુણવાળા શ્રી યશાભદ્ર અને શ્રી નેમિચંદ્ર (૩૯) નામના સૂરિરાજ થયા. ત્યારપછી અદ્ભુત એવા શ્રી મુનિચંદ્ર ( ૪૦ ) નામના મુનિ થયા. ત્યારપછી તેના શિષ્યાને વિષે શ્રેષ્ઠ એવા શ્રી અજિતદેવ (૪૧) અને તેના મુખ્ય શિષ્ય શ્રી દેવસૂરિ નામના વાદી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા. તેમાંના શ્રી અજિતદેવગુરુને સ્થાને પૃથ્વી પર પ્રસિદ્ધ શ્રી વિજયસિ’હરિ (૪૨) થયા. ત્યારપછી તેના પટ્ટને ધારણ કરનારા, ગચ્છના ભારને વહન કરવામાં ધુરંધર એવા એ સૂરિ થયા. તેમાં પહેલા શ્રી સામપ્રભસૂરિ શતાથી ( એક ( ગાથાના સે। અર્થ કરનારા) હતા અને બીજા શ્રી મણુિરત્નસૂરિ (૪૩ ) સત્પુરુષના મણિ સમાન હતા. ત્યારપછી શ્રી મણિરત્નસૂરિના પટ્ટ ઉપર મણિ સમાન શ્રી જગચ્ચ, ( ૪૪ ) નામના મેટા સૂરિ થયા. તેમના શ્રી દેવેદ્રસૂરિ (૪૫ ) અને શ્રી વિજયચંદ્રસૂરિ એ એ મુખ્ય શિષ્યેા થયા. ત્યારપછી શ્રી દેવેદ્રસૂરિના શિષ્ય શ્રી વિદ્યાનંદસૂરિ અને શ્રી ધર્મ ઘાષ (૪૬) ગુરુ થયા. શ્રી ધર્મ ધેાષની પછી તેના શિષ્ય શ્રી સામપ્રભસૂરિ (૪૭) થયા. તેને ચાર દિશામાં ઉત્પન્ન થયેલા મનુષ્યાનું રક્ષણ કરવા માટે યાદ્ધાની જેવા વિશુદ્ધ મેધ પામેલા ચાર શિષ્યા થયા. શ્રી વિમલપ્રભસૂરિ, પરમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy