SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી શાંત-સુધારસ ઃ દખાઈ, હુણાઈ, કચરાઇ જાય છે. એને કદી પાતે કાણુ છે? આ બધી ધમાલ કેાને માટે અને કેટલા માટે કરે છે ? એનું પરિણામ શું આવશે ? તેના વિચાર કરવાની કે તેમાં ઊંડા ઉતરવાની તક જ મળતી નથી. અસલ તા અપેારે રાસ સાંભળવાદ્વારા, રાત્રિએ દેરાસરની બહાર ધર્મકથાદ્વારા, સવારે વ્યાખ્યાનશ્રવણુદ્વારા, અન્યત્ર કથાશ્રવણુદ્વારા અથવા બીજી અનેક રીતે એ કાંઇક વખત મેળવી ચેતનની નજીક જતા; પણ હવે એ સર્વ વાત દૂર થતી જાય છે. આવા યુગમાં આંતરવિચારણા કરાવી આત્માની સાથે વાત કરાવે તેવા પ્રસંગેા ઉપસ્થિત કરવાનું સાધન ભાવના, ભાવનાનું ભાન કરાવે તેવા પુસ્તકો અને તેને લગતી વાતાદ્વારા જ શકય જણાય છે તેથી આ પ્રવર્તમાન યુગમાં ભાવનાની વિચારણાની વિશેષ આવશ્યકતા છે એમ લાગ્યું છે. આપણા પૂર્વકાળના આદર્શ સમષ્ટિગત હતા, એમાં કેમ કામની નજરે, વ્યાપારી મહાજનની નજરે અને કૌટુંબિક કુટુંબની નજરે જોતા હતા. એમાં પેાતાના વ્યક્તિત્વની નજરે વિચાર જ નહાતા. અત્યારે વ્યક્તિગત શક્તિના ફેરફારને પરિણામે, બાપદાદાના ધંધા કરવા જ જોઈએ તે નિ યમાં મહાન પરિવર્તન થયેલ હાવાને લઈને અને વ્યક્તિત્વ દ નના મેધપાઠ મળેલા હાઇને આખી સંયુક્ત કુટુંબભાવના ખલાસ થતી જાય છે, જ્ઞાતિએ ભાંગીને ભુક્કા થઇ જવાની અણી પર આવી ગઈ છે અને આરામ, શાંતિ કે વિલાસના વિચારાએ તદ્દન નવીન ક લીધેા છે, તેવે વખતે પોતે કાણુ છે? શા માટે આવેલ છે ? શેને માટે પ્રયત્ન કરે છે ? વિગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy