SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ देवागमयतिव्रातनिन्दकेष्वात्मशंसिषु । नास्तिकेषु च माध्यस्थ्यं, यत्सोपेक्षा प्रकीर्तिता ॥ શ્રી-શાંત-સુધારસ “ ક્રોધી પ્રાણીઓ ઉપર, નિર્દયપણે ઘાતકી કર્મ કરનારા પર, મધ, માંસ, મદ્ય (દારુ) અને પરસ્ત્રીમાં લુબ્ધ પ્રાણી ઉપર, અત્યંત પાપી પ્રાણીઓ ઉપર, દેવ, આગમ ( શાસ્ત્ર ) અને સાધુસમુદાયની નિંદા કરનાર પ્રાણીએ ઉપર, પેાતાની પ્રશંસા કરનારા પ્રાણીઓ ઉપર અને નાસ્તિક પ્રાણીઓ ઉપર જે રાગદ્વેષ રહિત ભાવ–મધ્યમા વૃત્તિ રાખવી તેને ઉપેક્ષા કહેવામાં આવે છે. ’ આ વર્ણનમાં કહેલા પ્રત્યેક પ્રકારના પ્રાણી ઉપર ઊંચું મન થયા વગર રહેવુ મુશ્કેલ છે. સદ્ગુણ સ્વભાવવાળા પુરુષ અહિંસાના નિયમને ખરાખર સમજનાર હાઇ જ્યારે અન્ય પ્રાણી નિર્દયપણે વધ કરે છે એમ સાંભળે ત્યારે એના મનમાં જરૂર રાષની લાગણી થઇ આવે. પરંતુ એક માણુસે દશ-બાર ખન કર્યા હાય કે પાંચ-પચાસ જનાવરના શિકાર કર્યો હેાય એની વાત સાંભળે ચા નજરે જુએ ત્યારે જેની વૃત્તિમાં ઉશ્કેરણી ન થાય તે મધ્યસ્થભાવ પામ્યા છે એમ સમજવુ. આ ભાવે પહોંચવાની આપણી ભાવના છે. સદ્ગુણી પ્રાણી વેશ્યાગમન કરનારની, રાત્રે રખડનારની કે દારુ પીનારની વાત સાંભળે ત્યારે એ પ્રાણી તરફ એને તિરસ્કાર આવે પરંતુ આવે પ્રસંગે મધ્યસ્થ વૃત્તિવાળા પ્રાણી આવા નીતિભ્રષ્ટ પ્રાણીઓની પણ ઉપેક્ષા કરે. એ વિચારે કે એના કર્મ એ ભેાગવશે, એ સંબધી આપણે ઉશ્કેરાવાથી લાભ શે ? પ્રાણીને ચેાગ્ય માર્ગ અતાવવાના પ્રયત્નને આમાં માધ નથી. જેમાં ઉપાય ચાલે તેવું ન હાય અથવા કરેલ ઉપાય નિષ્ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy