SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શ્રી શાંતસુધાબ જળની પેઠે ચિત્ત પણ અવશ્ય નિર્મળ થઈ જાય છે; એથી પ્રથમ, એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી ચિત્તપ્રસાદન (સ્વચ્છ ચિત્ત) કરવારૂપી ફળ પ્રાપ્ત થાય છે. અહીં સદર ગ્રંથને ઉતારે પૂર્ણ થાય છે. આ લંબાણ ઉતારે મુદ્દામ કારણસર ખાસ પ્રાસંગિક જણાયાથી દાખલ કર્યો છે. એ ઉતારો વાંચવાથી ચારે ગભાવનાનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે, ચારે ભાવનાના પ્રદેશે કેટલા સ્પષ્ટ અને નિરનિરાળા છે તેને ખ્યાલ આવશે અને પ્રત્યેક આશય, હેતુ અને લક્ષ્ય ક્યા કયા છે તે સમજાશે. કરુણું ભાવના સાથે મિત્રીને ખાસ ગાઢ સંબંધ છે અને એક રીતે જોઈએ તે એ ડાબી જમણી આંખ જેવી છે. આને એકી સાથે ખ્યાલ કરવા માટે આ આખે ઉતારે એક સાથે આપી દીધો છે. એ ઉતારે ગમતે હેઈ ખાસ વિચારવા ચોગ્ય છે. ચિત્તપ્રસાદનમાં પ્રત્યેક ગભાવના કેવી રીતે કામ આપે છે તેને હાર્દિક ભાવ સ્પષ્ટ કરવાને આ પ્રસંગ પ્રસ્તાવિક હોવાથી સહજ લંબાણના જોખમે પણ આ ઉપસંહારમાં તેને સ્થાન આપ્યું છે. - આપણા મૂળ ગ્રંથને અંગે જણાવવાનું કે પ્રતિકારના માર્ગોનું નિદર્શન અન્ય કોઈ લેખકે જણાવ્યું નથી પરંતુ સર્વેએ તેની આવશ્યકતા જરૂર સ્વીકારી છે. આપણા લેખક મહાત્મા ઉપાધ્યાયજીએ આખું અષ્ટક એ ઉપાયોની વિચારણામાં રજૂ કર્યું છે એ એમનું વિશિષ્ટ તત્ત્વ છે. એમનું બીજું વિશિષ્ટ તત્વ તે કરુણાજનક પ્રસંગોના કારણરૂપે ધર્મહીનતાનું તત્ત્વ દાખલ કરવું તે છે, અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy