SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. ૪૯ ૧ અન્ય જીવને મારી નાખવાના, દુઃખ દેવાના, કદર્થના કરવા કરાવવાના વિચાર-હિંસાનુબંધી. ૨ જૂઠું બોલવું, છેતરપીંડી કરવી, ખેટે આરોપ મૂક વિગેરે વિચાર-મૃષાનુબંધી. ૩ પારકા ધન કે ચીજને ઉપાડવા, તેની રજા વગર ચેરી કરવી, ઘાટ ઘડવા–ચર્યાનુબંધી. ૪ લેભને તાબે થઈ તૃષ્ણા વધારવી, પરિગ્રહ આશા–તૃષ્ણના વિચાર કરવા તે–પરિગ્રહાનુબંધી. આ આર્ત–રેદ્ર ધ્યાનનું સ્વરૂપ વિસ્તારથી જૈન પ્રષ્ટિએ ગમાં (પૃ.૧૩૧માં) આપ્યું છે. આવા આર્ત–રોદ્ર ધ્યાનના પરિસુવિચાર ઘટનાઓ-ચાલતી હોય તે ખરેખર અગ્નિ જેવી છે. એ ભાવનાશીલ ( ભાવુક ) વિવેક-સદસદ્વિચારણારૂપ સુંદર મંદિરને મૂળમાંથી બાળી નાખે છે. જ્યાં આર્નર ધ્યાન એના કોઈ પણ આકારમાં મનમાં વર્તતું હોય ત્યાં ભાવનાશીલ વિવેકરૂપ સંદર્યનો નાશ થઈ જાય છે. જે મનમાં આન્દ્ર સ્થાન એના એક પણ પ્રકારમાં વર્તતું હાય છે ત્યાં વિવેકને નાશ થાય છે. આ પ્રાણ વિષયમાં લુપ છે. એને ઈન્દ્રિયોના વિષયમાં ખબ આનંદ આવે છે. એને અનંત ગુણવાળો આત્મા એટલે બધે વિભાવદશામાં પડી ગયું છે કે એને સ્ત્રીસંગ કે સુંદર ભજન, નવનવ પદાર્થદર્શન કે સુંદર શ્રવણાદિકમાં રાગ થાય છે, તેમાં એ મસ્ત થઈ જાય છે, તેમાં એ એકરૂપ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy