SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી શાંતસુધારસ છે અને સાચું સુખ શું છે અને ક્યાં છે તેનો વિચાર કર્યા વગર ક્વચિત્ માન્યતાનાં સુખમાં અને મોટે ભાગે રખડપટ્ટીના ત્રાસમાં નવા નવા વેશ લઈ આંટા માર્યા કરે છે. એને દિશાનું ભાન નથી, એ કયાં છે તે સમજાતું નથી અને એને નીકળવાને રસ્તે સૂઝતું નથી–જડતું નથી અને કવચિત્ કઈ વીરલને એ માર્ગ જડે તેને તેઓ ગાંડો કે બાવરે ગણી એની વાત તરફ ધ્યાન આપતા નથી. આવા જંગલમાં ભૂલા પડેલા અને કોઈ જાતના ધોરણ વગર ચારે તરફ દોડાદોડ કરનારા પ્રાણીઓને તેઓની દોડાદેડી મટાડનાર કે પુણ્યાત્મા માર્ગદર્શક થાય છે. એ એની અનુપમ વાણુ વડે રખડપટ્ટી અટકાવવાના રસ્તા બતાવે છે. એવા મહાપુરૂષને પ્રથમ કરૂણા આવે છે. એમને મનમાં એમ થાય છે કે આ બિચારા મહાજંગલમાં ખરેખર ભૂલા પડેલા છે અને હેતુ કે સાથ વગર નકામા રખડ્યા કરે છે. આવા પ્રાણીઓ ઉપર સાચી દયા લાવી એ કરૂણારસના ભંડાર મહાપુરૂષ અમૃત જેવી વાણીવડે એ રખડપાટે અટકે એવા ઉપાય બહુ પ્રેમભાવે બતાવે છે અને તેમ કરવાનો તેમને ઉદ્દેશ ભટકનારાની ભટકામણ અટકે અને તેઓને અચળ સ્થાનમાં સ્થિર વાસ થાય એ જ હોય છે. ભવાટવીમાં ભૂલા પડેલાને ખરેખર આનંદ ઉપજાવે અને તેમને હંમેશને માટે સર્વોત્કૃષ્ટ સ્થાનકે પહોંચાડે તેવી સુંદર પરિસ્થિતિ આ થઈ. આવી વાણી જે કેઈની હોય તે ખરેખર તે વંદ્ય છે અને આનંદપ્રદ છે. આવી વાણુને પ્રસાદ જ એ અપ્રતિહત છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. સર્વ રખડપાટે અટકાવનાર આવી વાણી તમારું રક્ષણ કરે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy