SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર-ભાવના. ૪૨૫ ધર્મો ખરા ઉપાયભૂત છે, અમલમાં મૂકવા ગ્ય છે અને આત્મવિકાસમાં બહુ સુંદર કાર્ય કરનાર છે. . ૪. મન-વચન-કાયાના ગે આપણું પ્રવૃત્તિને મુખ્ય ભાગ ભજવે છે. મનથી વિચારીને વાણીથી અથવા શરીરથી અથવા બનેથી સર્વ પ્રવૃત્તિ થાય છે. આ ચગે પ્રશસ્ત અને અપ્રશસ્ત બે પ્રકારના છે. સંવરમાં મને ગુમિ, વચગુપ્તિ, કાયગુપ્તિ બતાવી છે. એને અર્થ અપ્રશસ્ત ગપ્રવૃત્તિ પર અંકુશ થાય છે. શુભ યુગમાં અમુક હદ સુધી પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા છે. ગુપ્તિ એટલે મનાદિને દાબી દેવાના નથી પણ એની અશુભ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનું છે. એ અપ્રશસ્ત મનવચન-કાયાના યોગોને સદરહુ ત્રણ ગુપ્તિઓથી જીતવા એ સંવર છે. મનવચન-કાયાના અપ્રશસ્ત ગોને “અજ ” કહ્યા છે. એના પર વિજય મેળવવા ઘણું મુશ્કેલ છે, પણ વિજય મેળવ્યા વગર આશ્રવનાં મેટાં ગરનાળાં બંધ થાય તેમ નથી. મન જ્યાં ત્યાં દેડ્યા કરે તો તો પછી પાર કેમ આવે ? અને એવી જ રીતે વાણુ પર સંયમ ન હોય તો આ પ્રાણ તો ગમે તેવું બોલ્યા જ કરે. એને પોતાની વિદ્વત્તા બતાવવાની, ઠઠ્ઠા મશ્કરી કરવાની, અસત્ય-અસભ્ય બલવાની અને પ્રણયનાં ગાને ગાવાની એટલી ટેવ હોય છે કે એના પર અંકુશ ન હોય તો પિતાનું ભાષણ ચલાવ્યા જ કરે. અને શરીરની વાત શી કરવી ? પચીશે અસલ્કિયામાં એને ભાગ મટે છે. કર્મોને મેટો જથ્થો એ ખેંચી લાવે છે. ખાસ કરીને મને ગુપ્ત સર્વથી વધારે આકરી છે પણ તેટલી જ તે જરૂરી છે. આવી રીતે યોગ પર વિજય મેળવો. આ મહાન ગ છે. એનાં પ્રસંગો સાધનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy