SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ્યક ૧૫ (૧) કાંદપ ભાવના સ્ત્રી-વિષયભોગ માટે વિચારણા અને પ્રવૃત્તિઓ. (૨) કેઢિબપી ભાવનાઃ કલેશ કરાવે તેવી, ખટપટ કરાવનારી, રાજનીતિ, ધમાલ–તોફાનની હકીકતો. (૩) આભિયોગિકી ભાવનાઃ યુદ્ધ-લડાઈ કરાવે તેવી ખટપટ, તૈયારી, ધમાધમ અને વાતાવરણ. (૪) દાનવી ભાવના આસુરી ભાવના: મેહ-મદ-મત્સરાદિ મને વિકારોના ખ્યાલો. (૫) સ હી ભાવના રાગ-દ્વેષને વધારનારી, પિષનારી, કુટુંબ ધનમાં મમત્વ કરાવનારી હકીકત. આ પાંચ પ્રકારની ભાવનાઓ તજવા યોગ્ય છે. એ વાત પણ એટલી જ ઉપયોગી હોઈ ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. શુભ ભાવનાને સમજતાં આ અશુભ ભાવનાઓ પણ સમજવી પડશે. વસ્તુવિવેક કરતાં તે બરાબર સમજાઈ જશે. આ ગ્રંથમાં કહેલ બાર ભાવનાને “અનુપ્રેક્ષા(ભાવના) કહેવામાં આવે છે. એ અનુપ્રેક્ષા શબ્દનો અર્થ જ આત્માવલંકન થાય છે. ” અર્થ જેવું એમ થાય છે અને તેની સાથે મનુ અને 5 ઉપસર્ગ મળી એને વધારે મજબૂત અને ચારે તરફ જનાર અનાવે છે. એ ઉપરાંત એક બીજી હકીકત એ છે કે એ સર્વ ભાવનાઓ ધ્યાનના વિશાળ ચોગિક વિષયની પૂર્વગામિની અને ધ્યાનમાં સ્થિર રાખનાર પણ છે. ધ્યાનનો વિષય ઘણે વિશાળ છે અને તે ગગ્રંથમાં ખૂબ ચર્ચાય છે. એ ધ્યાનના વિષઅને આપણે અહીં ચચી ન શકીએ, કારણ કે તે વિષય વિસ્તીર્ણ છે અને અત્ર અપ્રસ્તુત છે. એ ધ્યાનની હેતુભૂત ચાર ભાવનાઓ ચેગા પુરૂષોએ બતાવી છે. એ અનુક્રમે મૈત્રી, પ્રમોદ, કારણ્ય અને માધ્ય છે. બાર અનુપ્રેક્ષા(ભાવના) પછી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy