SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વિવભાવના ૩૮૩ ખાલી “ તજે ત” એમ બમ પાડવાથી કાંઈ વળે તેમ નથી. મનની સ્થિતિસ્થાપકતા રાખી, એને બરાબર અભ્યાસ કરી એને ઓળખવા ઘટે. મન અસ્થિર હોય તો એ કાંઈ સરખે વિચાર કરતું નથી અને ઉશ્કેરાયેલી સ્થિતિમાં કરેલા વિચારે ટક્તા નથી, માટે સર્વ સંગમાં મનને સ્થિર રાખવું, એની ચંચળતા દૂર કરવી અને એને એકાગ્ર કરવું. એને મુખ્ય ઉપાય મિત્રી આદિ ભાવના છે તે ગ્રંથને અંતે વિચારવામાં આવશે. - જે એને ત્યાગ-પરિહાર કરવામાં ન આવે, જે એને રેકવામાં ન આવે તે એ તારા પિતાના અપાર ગુણવૈભવને નાશ કરનાર થાય છે. આત્મામાં જ્ઞાન દર્શનની નજરે સર્વવ્યાપી શક્તિ છે. એ સર્વ જ્ઞેય વસ્તુભાવ અને અવસ્થાઓને જાણું દેખી શકે છે અને જે એને સર્વવ્યાપી ગુણ છે તે એનો સાચો વૈભવ છે. અમૂલ્ય અને અપરિમિત છે અને એ એને સાચો ખજાને છે, એની સ્વમાલકીની મિલકત છે. આવા અમૂલ્ય વૈભવને આશ્રવ નાશ કરે છે. આશ્રાથી પ્રાણી કર્મથી ખરડાઈ જાય છે એટલે એનામાં જે અનંત જ્ઞાનની શક્તિ છે તેના ઉપર આવરણ આવી જાય છે. આશ્રને જે મેકળાં મૂક્યાં હોય, એના પર અંકુશ છેડી દીધો હોય, તો એ મેટા ખજાનાને નાશ કરે છે, એને વેડફી નાખે છે. પ્રાણુને દીન, અજ્ઞ, અવાકુ અને મૂઢ બનાવી દે છે, માટે આશ્રાને તજી દેવા ઘટે. એ આશ્ર બહાળતાએ કેવા છે તે જરા જોઈ લઈએ. વિગતથી વિભાગવાર તું તેને તપાસ જે. 0 ર. પ્રથમ મિથ્યાત્વની વાત વિચારીએ. પ્રાણીને સાચે માર્ગ મળ મુશ્કેલ છે. ઘણાખરા તે અનાદિ વાસનાથી Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy