SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ મશુચિ ભાવના. ૩૩૧ તીવ્ર સુગધી પદાર્થોની વાંસ ગ્રહણ કરે છે, પણ લસણ તે કદી સુગંધીથી વ્યાપ્ત થતું જ નથી. એ બીજા અનેક પદાર્થ ને ખગાડે ખરૂ પણ પેાતાની તીવ્ર દુર્ગધ કદી છૈડતુ નથી અને ખીજા તીવ્ર સુગંધી દ્રવ્યની વાસ લેતુ નથી. આ એક વાત થઇ. ખળલુચ્ચા માણસ ઉપર ગમે તેટલે ઉપકાર કરવામાં આવે પણ તે સુજનતાને ધારણ કરતા નથી. ઘણા પ્રાણીઓ એટલા ઊતરી ગયેલા હાય છે કે એને ગમે તેટલા લાભ કરે, એની મુશ્કેલીમાં એને મદદ કરેા, એને ખાવા-પીવાની સગવડ કરી આપે કે એને ધંધે વળગાડી આપેા, પણ એ પેાતાનું પેાત પ્રકાશ્યા વગર રહેતા નથી. જીવતરનું દાન કર્યું. હાય, આખરૂ જતી બચાવી હાય અને પૈસાની મદદ કરી હેાય છતાં એ સર્વ ભૂલી જઇ અણીને વખતે ઉપકાર કરનાર ઉપર જ એ નૈસિર્ગક ખળ પુરૂષ આઘાત (અપકાર) જ કરે છે. ધવળશેઠને રાજદ ડથી ઉગારનાર, દાણચારીના ગુન્હામાંથી બચાવનાર અને એનાં અટકેલાં વહાણુ તરાવી આપનાર શ્રીપાળના અંતે એણે જીવ લેવા પણ પ્રયત્ન કર્યો. અન્યની લાગવગથી અમલના સ્થાન પ્રાપ્ત કરનાર ઉપરી અધિકારી ઉપકાર કરનારને કેવા બદલા આપે છે તેના દાખલા અજાણ્યા નથી. જે પ્રાણી સ્વભાવથી હલકા હાય છે તેના પર આખા જન્મ ઉપકાર કરવામાં આવે તા પણ તે સાજન્ય બતાવતા નથી. પેાતાને મદદ કરી ભણાવનાર સસ્થાને વિસરી જનાર અને તેની અણઘટતી ટીકા કરનારના અનેક દાખલા માજીદ છે. મતલબ એ છે કે જેમ સજ્જન પેાતાના સ્વભાવ છાડતા નથી તેમ દુર્જન પણ પેાતાના સ્વભાવ છેડતા નથી. એવી જ રીતે આ શરીર ઉપર ગમે તેટલા ઉપકાર કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy