SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ અશુચિભાવના. ૩ર૯ મળ શબ્દમાં ખાસ કરીને વિષ્ટા અને ઉપચારથી મૂત્ર વિગેરે અનેક અપવિત્ર પદાર્થોને સમાવેશ થાય છે. શરીરમાં પસીને (પ્રસ્વેદ) એટલે થાય છે કે ઉન્ડાળાના દિવસેમાં ન્હાયા પછી, બે ઘડી પછી, ન્હાયા ન હાયા જેવું જ થઈ રહે છે. વળી શરીરે સ્નાન કરીને પછી તેના ઉપર ચંદન લગાડિવામાં આવે છે. અગાઉ શરીર ઉપર ચંદન લગાડવાને રિવાજ હશે એમ જણાય છે. હાલ તો ન્હાયા પછી બાલ સાફ કરવા માથામાં તેલ નાખવાનો રિવાજ જાણીતો છે. વળી તે પહેલાં ટુવાલથી શરીરને ખૂબ ઘસવામાં આવે છે. એટલે ઉપરને કચરે નીકળી જાય અને લાગેલ પાણી સાફ થઈ - જાય એ એમાં અપેક્ષા હોય છે. આવી રીતે ન્હાઈ, ધોઈ, સાફ થઈ, શરીર પર દેશાચાર પ્રમાણે અથવા વ્યક્તિગત પદ્ધતિ પ્રમાણે ઉપચાર દ્રવ્ય લગાડવામાં આવે છે અને પછી આ ભલો ભેળે પ્રાણ એમ માને છે કે આપણે મેલ દૂર થઈ ગયું અને પછી એને શરીર તરફ પ્રેમ થાય છે. પછી એ પોતાનું મુખડું કાચમાં જુએ છે અને કાચમાં જોતી વખતે જે અન્ય કોઈ એને જેતું નથી એમ એની ખાત્રી હોય તો તે મુખડાં સાથે એવાં ચેડાં કાઢે છે કે જરૂર હસવું આવે. ગમે તેવો ડાહ્યો માણસ કાચમાં - જુએ અને કાંઈ ચાળા ન કરે એ બનવું મુશ્કેલ છે. એ જીભ બહાર કાઢશે, ભવાં અહડાવશે અને કૈક નખરાં કરશે. આ સર્વ ખાલી ભ્રમ છે, બેટ ઉન્માદ છે, મૂઢતાનું ખાલી પ્રદર્શન છે, મશ્કરી કરવા યોગ્ય બાળચેષ્ટા છે. જ્યાં આખા મહેલ્લાને ચરે નખાય તે જગ્યાને ઉક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy