SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશક. પછી સ્થિતિસ્થાપકતા એવી જામી જાય કે નિરંતરને માટે આપણે આનંદમાં મજા માણીએ. આવી મોટી ગુંચવણમાં પડતાં વિચાર જરૂર આવે તેમ છે કે અત્યારની જે રચના છે અને જેમાં પ્રાણી સાચુંખોટું સુખ માની રહેલ છે તેનું કારણ શું હશે? અને આ એક ખાડામાંથી બીજામાં પડવાની સ્થિતિનો અંત કયાં અને કેમ આવે ? એ વિચાર-સવાલની સાથે જ ખ્યાલ આવે છે કે ઘણુંખરૂં પ્રાણી સુખ શું છે અને કયાં છે ? તથા સાચું સ્થાયી સુખ કયાં હોઈ શકે? તેનો ખ્યાલ જ કરતો નથી. સ્થળ કે માનસિક સુખ હંમેશને માટે બની રહે તે માટે ખાસ વિચારણું જ કરતો નથી અને નાની નાની સગવડ મળે કે તેમાં રાચી જઈ પિતાને “સુખી માની લે છે. વળી તેનો છેડે આવતાં પાછો વિષાદમાં પડી જાય છે અને ગુંચવણમાં અટવાઈ જાય છે. એને માથે મરણનો ભય તે ઉભે જ હોય છે અને ધનના સાધનથી જમાવેલી સૃષ્ટિ પાછી છોડી જવી પડશે એ ખ્યાલ તે તેના મગજમાં કાયમ રહે છે. કેટલાક વખત આ ચીજ “મારી ” આ બંગલો “મા” આ ઐયાં છેકરાં “મારાં ” આ ફરનીચર “ મારૂં ” એવી એવી કલ્પના કરી એ સંસારમાં ખૂબ રસ લઈ દોડાદોડ કરે છે; પણ જરા માથું દુખવા આવે છે કે ૧૦૪ ડીગ્રી તાવ આવે છે ત્યારે પાછો વળી એ વિચારમાં પડી જાય છે. | એના મનોવિકારો તે એટલા જબરા હોય છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. અભિમાન કરે ત્યારે એ ભિખારી ડિાય તો પણ પિતાની ભિખ માગવાની કુશળતાનું એ વર્ણન કરશે, પાંચ-પચાસ માણુનાં મંડળમાં એને કાંઈ હો હશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy