SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- આગમ આરાધનાથીજ શ્રુત ચારિત્ર રૂપ ધર્મ થાય છે. તેની - આગમની બાધાથી અધર્મ થાય. અહીં આ વિધિ નિષેધ રૂપ વચન ધર્મનું રહસ્ય છે. અને આજ વચન ધર્મનું સર્વસ્વ છે. । ૧૨ । વિશેષાર્થ :- તદ્નાધયા : જેમાં જિનાજ્ઞાને બાધા આવતી હોય તેવી મહાકટકારી ક્રિયા કરવાથી પણ અધર્મજ થાય છે. પંચાગ્નિ તપ ઈત્યાદિ બાલ તપ કરનાર સંસારમાં જ સપડાય છે... | ૧૨ | अथ किमिति सकलानुष्ठानोपसर्जनीभावापादनेन वचनस्यैव प्राधान्यं ख्याप्यतं इत्याशङ्कायामाह यस्मात्प्रवर्त्तकं भुवि निवर्तकं चान्तरात्मानो वचनम् ॥ धर्मश्चैतत्संस्थो मौनीन्द्रं चैतदिह परमम् ॥ १३ ॥ यस्मात् प्रवर्तकं भुवि भव्यलोके स्वाध्यायादौ विधेये । निवर्त्तकं च हिंसादेरन्तरात्मनो मनसो वचनम् । धर्मश्च प्रवृत्तिनिवृत्ति फलजननव्यापारीभूत एतस्मिन् वचने ज्ञापकतासन्बन्धेन सन्दिष्ट' इत्येतत्संस्थः ‘मौनीन्द्रं’ मौनीन्द्रोक्तेनाबाधितप्रामाण्यं चैतद्वचनमिह प्रक्रमे परमं अनुष्ठानानुपजीविप्रामाण्यं तत इदमेव प्रधानमुद्ध्रुष्यतेऽनुष्ठानादिकं ચૈતવુપजीवकत्वेनोपसर्जनीक्रियत इति भावः ॥ १३ ॥ હવે સઘલાએ અનુષ્ઠાનને ગૌણ બનાવી વચનાનુષ્ઠાનને મુખ્યરૂપે કેમ કહેવાય છે, એવી આશંકા થયે છતે ગ્રંથકાર સમાધાન આપે છે. ગાથાર્થ ઃ- આગમવચન તે ભવ્યલોકને વિષે સ્વાધ્યાયાદિ વિધેયમાં મનને પ્રવર્તાવે છે અને હિંસાદિથી મનને પાછુ વાળે છે. અને આ વચનમાં ધર્મ રહેલો છે. તેમજ મુનિનેતા - તીર્થંક૨૫રમાત્માએ આ વચન ભાખેલા હોવાથી આ વચન જ શ્રેષ્ઠ છે. 7 વિશેષાર્થ :- ભવ્યલોકે એટલે ભવ્યલોકોને જ આ આગમવચન સ્વાધ્યાદિ વિધેયમાં પ્રવૃત્તિ અને પ્રતિષિદ્ધ નિવૃત્તિ કરાવે કારણકે તેમને આગમ વચનનું બહુમાન હોય છે. પણ અભવ્યને નહિં માટે અહીં ‘ભુવિપદ’થી ટીકાકારે ‘ભવ્યલોકે' એવો અર્થ લીધો છે. પ્રવૃત્તિ નિવૃત્તિ ના ફળને ઉત્પન્ન કરવામાં વ્યાપારભૂત ધર્મ છે. શ્રુતચારિત્રાત્મકધર્મ વચનથી જન્ય છે અને વચન જન્ય પ્રવૃત્તિ નિવૃત્તિ નો જનક હોવાથી વ્યાપારરૂપ १. सन्तिष्ठतं 32 Jain Education International - For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-૨ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy