SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- ઔચિત્યથી ગુરુને વિષે વૈયાવૃત્ય દ્વારા વર્તવું (ગુરુની સેવા ભક્તિ કરવી); આંતર પ્રીતિ રાખવી આ મારા ઉપકારી છે એવી કૃતજ્ઞતા મનમાં રાખવી; ગુરુઆજ્ઞાને આગળ કરવી; આજ્ઞાયોગને સત્ય કરવો આ સર્વ ગુરુ વિનય છે. – વિશેષાર્થ :- ઔચિત્ય - ઉંચી ભૂમિકાની અપેક્ષાએ - પોતાના ગુરુ જ ઉંચા વડિલ પદસ્થ હોય તો તે રીતે વૈયાવચ્ચ વિ. કરવું અને મુનિ હોય, તેમનાથી ઉ૫૨ બીજા ઊંચા હોય તો તે રીતે વર્તવું. ગુરુ વિનય - સંબંધી - પોતે કરેલી જે સેવા તેનો પ્રતિયોગી ગુરુ એથી ગુરુમાં સ્વજન્ય વૈયાવૃત્ય નિરૂપિત પ્રતિયોગિત્વ ધર્મ આવે તે સંબંધથી ગુરુના વિશે શિષ્ય વર્તે (રહે) છે નહિં કે તેમના ઉપર ચડી બેસવું / અહીં વૈયાવૃત્યકર્મનો શિષ્ય અનુયોગી જન્ય જનક ભાવ સંબંધના આધારે બને કારણ કે તેનાં આધારે સેવા થઈ અને વૈયાવૃત્યનો લક્ષ્ય (સંબંધી) ગુરુ હોવાથી તે પ્રતિયોગી બને છે. અહીં ગુરુ અને વૈયાવૃત્ય વચ્ચે સેવ્ય સેવાભાવ સંબંધ છે, અને તે જે તરફ ઢળે તે અનુયોગી તે સંબંધ પોતાના અનુયોગીમાં જેને ખેંચી લાવે તે પ્રતિયોગી. અહીં વૈયાવૃત્યમાં આ સંબંધથી ગુરુને ખેંચવામાં આવે છે એથી ગુરુ વિશિષ્ટ વૈયાવૃત્ય બને છે; માટે ગુરુ પ્રતિયોગી બને. (કોની સેવા ? તો કહીશું ગુરુની) ગુણના રાગ સ્વરૂપ આંતરપ્રીતિ તે બહુમાન, પણ તે પ્રીતિ મોહજન્ય ન હોવી જોઈએ કારણકે “ગુરુ વિશે ગૌતમનો સ્નેહપ્રતિબંધ તેમનો મોક્ષ અટકાવનારો થયો આ ન્યાયથી આવો સ્નેહ મોક્ષને પ્રતિઉપકારી નથી, પરંતુ મોક્ષને અનુકૂલ ગુરુભાવ પ્રતિબંધ એટલે ગુરુ પ્રત્યેનો સ્નેહ તેનો નિષેધ નથી, કારણકે તેનાથી સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે. કૃતજ્ઞતાચિત્ત એટલે અમારા ઉપર અનુગ્રહ કરવા પ્રવૃત્ત થયેલા ગુરુ ભગવંતે પોતાની તકલીફને ગણકાર્યા વિના શાસ્ત્ર ભણવા વિ. માટે રાત દિવસ ભારે મહેનત કરી છે. 31 આજ્ઞાયોગ :- જે જે કાર્ય કરે તેમાં ગુરુઆજ્ઞાને આગળ ક૨વી; પોતે આદરેલા કોઈ પણ કાર્યમાં ગુરુઆજ્ઞાનો અભાવ ન હોવો જોઈએ એટલે આજ્ઞા સાથે કાર્યવ્યાપકતા સંબંધ થયો, કાર્ય સમાનાધિકરણ અત્યંતાભાવ અન્ય ભાવનો મળશે પણ ગુરુ આજ્ઞાનો નહિ મળે માટે તે તાદૃશ અત્યંતાભાવનો અપ્રતિયોગી બનવાથી ગુરુઆજ્ઞા કાર્યવ્યાપક થઈ; તેમાં 166 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશક પ્રકરણમ્-૧૩ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy