SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાયમાં પ્રાપ્ત થઈ જાય છે. એક વર્ષમાં ક્રિયાથી મલ ત્યાગ થવાથી આ દશવિધ ધર્મની પ્રાપ્તિ થાય છે, તેના પછી તો દિવસે દિવસે ધર્મ નિર્મલ શુક્લ બને છે. ।। ૧૨/૧૩ ॥ अस्यैव दीक्षावतःपूर्वोत्तरकालभाविगुणयोगमाह ध्यानाध्ययनाभिरतिः प्रथमं पश्चात्तु भवति तन्मयता । सूक्ष्मार्थालोचनया संवेगः स्पर्शयोगश्च ॥ १४ ॥ ध्यानं स्थिराध्यवसानरूपं धर्म्यं शुक्लं च यथोक्तम् “एकालम्बनसंस्थस्य सदृशप्रत्ययस्य च । प्रत्ययान्तरनिर्मुक्तः प्रवाहो ध्यानमुच्यते" । अध्ययनं स्वाध्यायपाठस्तयोरभिरतिरनवरतप्रवृत्तिः प्रथममादौ दीक्षासम्पन्नस्य भवति, पश्चात्तु तन्मयता ध्येयगुणमयत्वं भवति, तथा सूक्ष्मानामर्थानां बन्धमोक्षादीनामालोचनया संवेगो मोक्षाभिलाषः; स्पर्शेन तत्त्वज्ञानेन योगः सम्बन्धश्च મતિ || ૧૪ || આ દીક્ષાવાળાને પૂર્વે અને પછી પ્રાપ્ત થનારા ગુણોનો સંબંધ જોડતા કહે છે... ગાથાર્થ :- દીક્ષા સંપન્ન થતા પહેલાં ધ્યાન અને સ્વાધ્યાયમાં સતત પ્રવૃત્તિ કરે છે - આસિત જાગે છે. પાછળથી ધ્યેયના ગુણમય બની જાય છે. પછી સૂક્ષ્મ અર્થની વિચારણાથી સંવેગ અને તત્ત્વજ્ઞાનથી સંબંધ થાય છે. 162 વિશેષાર્થ :- એક આલંબનમાં રહેલાને અને સમાન પ્રત્યયવાળાને અન્ય પ્રત્યયથી વેગળો જે પ્રવાહ ચાલે તે ધ્યાન કહેવાય છે. ધ્યાન અને સ્વાધ્યાય કરવામાં સતત રત રહે છે. આમ કરતા ધ્યેય એવા પ્રભુના ગુણમાં ખોવાઈ જવાય છે તે તન્મયતા. બંધમોક્ષ વિ. સૂક્ષ્મ પદાર્થની વિચારણાથી મોક્ષનો અભિલાષ જાગે છે. કારણકે બંધ એ દુઃખનું કારણ છે અને મોક્ષ પરમ સુખનું કારણ છે. આવી વિચારણાથી અને જીવ સુખનો અભિલાષી હોવાથી તેમાં મોક્ષની ઝંખના જાગી જાય છે. પછી ઊંડા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કારણ મોક્ષની ઝંખના જાગી જવાથી પદાર્થને સાચા તત્ત્વરૂપે પકડવાની કલા પેદા થઈ જાય છે. ।। ૧૪ ।। = Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-૧૨ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy