SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] મન્મથ વ્યાકુળતા-આયુર્વેદ. ૧૫૧૩ વિભ્રમે કહ્યું. “અરે મિત્ર કપાળ ! તારા ધ્યાનમાં બરાબર વાત આવી હોય એમ લાગતું નથી. વૈદ્યની ફરજ છે કે તે માંદા માણસને જુએ તે વખતે પ્રથમ તો તેણે રેગનું મૂળ કારણ આવી રીતે શોધવું એટલે કે તેણે પ્રથમ તે દરદીની ખાસ પ્રકૃતિ કેવા પ્રકારની છે તેનું બારિકીથી અવેલેકન કરવું, એને શરીરમાં બળ કેવા પ્રકારનું અને કેટલું છે તેની વિચારણું કરવી, એના શરીરનો બાંધે કેવા પ્રકારનો છે તે બરાબર વિચારવું, એના શરીરના વિભાગોનું માપ બરાબર જોઈ લેવું, એને અનુકૂળ કઈ વસ્તુ છે અને તે પથ્ય પાળી શકે તેવું છે કે નહિ તે સમજી લેવું, એનામાં ધીરજ કેટલી છે અથવા છે કે નહિ તે લક્ષ્યમાં ઉપર અર્થે કરવામાં વાલ્મટ નિર્મિત અષ્ટાંગ હૃદયના નીચેના લોકો કાંઇક પ્રકાશ નાખે છે. वायु पित्तं कफश्चेति त्रयो दोषाः समासतः॥६॥ विकृताऽविकृता देहं नन्ति ते वर्तयन्ति च । ते व्यापिनोऽपि हृन्नाभ्योरधोमध्योर्ध्वसंश्रयाः॥७॥ वयोऽहोरात्रिभुक्तानां तेऽन्तमध्यादिगा क्रमात् । तैर्मवेद्विषमस्तिक्ष्णो मन्दश्चाग्निः समैः समः॥८॥ એટલે વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દે છે તે જે વિકાર પામેલા હોય તો દેહનો નાશ કરે છે અને જે વિકાર પામેલા ન હોય તો દેહને વધારે છે. એ ત્રણે દે આખા શરીરમાં વ્યાપક છે, છતાં ખાસ કરીને નાભિની નીચે વાયુ રહે છે, નાભિ અને હૃદયની વચ્ચે પિત્ત રહે છે અને હૃદયની ઉપર કફ રહે છે. વય, દિવસ, રાત્રિ અને આહારનાજમવાના–આદિ મધ્ય અને અંતમાં અનુક્રમે કફ, પિત્ત અને વાયુ હોય છે, જેમ કે અવસ્થાની આદિમાં-બાલ્યાવસ્થામાં કફ, મધ્યાવસ્થાજુવાનીમાં પિત્ત અને અંત્યાવસ્થામાં-ઘડપણમાં વાયુ વધારે હોય છે, તેમ જ દિવસના પ્રથમ ભાગમાં કફ, મધ્ય ભાગમાં પિત્ત અને અંતભાગમાં વાયુ વધારે હોય છે. રાત્રિના પ્રથમ ભાગમાં કફ, મધ્યરાત્રિએ પિત્ત અને અંતભાગમાં વાયુ વધારે હોય છે. આહાર ખાધા પછી તુરત પ્રથમ ભાગમાં કફ, મધ્ય ભાગમાં જ્યારે આહાર અરધો પરધો પાકે ત્યારે પિત્ત અને અંતભાગમાં જ્યારે આહાર પાકી જાય ત્યારે વાયુ વધારે હોય છે. (આ છેલ્લી હકીકત ઉપરના અર્થ માટે ઉપયોગી છે.) આ પ્રમાણે અર્થ કરવામાં નાના પ્રકારના દોષથી પ્રાણ પરાભવ પામે છે, એવો અર્થ ચોથા પદનો થયો. (૪) ચોથા પાદનું પાઠાંતર ઢોર્નોગતિમ આને અર્થ “થોડા વ્યાધિ વાળ હોય તે બહુ દોષથી હેરાન થાય છે” એમ થાય. આ પાઠાંતર શુદ્ધ હોય તો તે ના. ૩ વાળા અર્થને ટેકે આપે છે. મારે મને ચોક્કસ નિર્ણય ન થવાથી મૂળ સાથે ઉપર એક પણ અર્થ લખ્યો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy