SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ આ લેકમાં વચન મન અને કાયાથી આદર્શમનુષ્ય કેવું વર્તન કરવું જોઈએ તે બતાવ્યું છે. વચનથી નિંદા ન કરવી, પારકાં અવર્ણવાદ ન બેલવા, મનને સ્થિતિસ્થાપકતામાં રાખી ક્રોધ ન કર, ક્રોધ મનોવિકાર છે એની સાથે માન માયા, લેભ, કષાય અથવા કામ, લોભ, મોહ, મદ, મત્સર એ રિપુઓ સમજી લેવા અને કાયાથી અન્યનું પરિપાલન કરવું. આ પ્રમાણે જે કરે તે કુળને શેભાવનાર માણસ છે, નર છે-એવા અવતાર સફળ છે, ફેરો ગણતરીમાં ગણવા યોગ્ય છે, એનું જીવન રસમય અને જીવવા ગ્ય છે. આ શ્લોકમાં પણ શબ્દાલંકાર જણાય છે. ચોથા પારના દરેક અક્ષરે પ્રથમના ત્રણ પાદમાંથી મળી આવે છે. } પુન: ચિત્રકન્યા સ્મરણ આવી રીતે જેટલે વખત પ્રશ્નોત્તરમાં હરિ કુમારનું ધ્યાન રહ્યું તેટલે વખત તે ચિત્રમાં રહેલી કન્યાને કાંઈક વિચારી શક્યા, થેડીક ભૂલી ગયે, એટલે વખત એ બાબત તેને જરા જરા વિસ્મૃત થઈ. કમનસીબે તે વખતે એક પારે પિતાની પારેવી સાથે ગેલ કરતો જોવામાં આવ્ય, સ્ત્રીને તે ચાટે, તેની ફરતે ઉડે અને તેની સાથે ગેલ કરે—એ હકીકત જોઈને વિસારે પડેલી કન્યા પછી કુમારની સ્મૃતિમાં આવી, ચિત્ર ઉપર ધ્યાન ગયું અને મિત્રોની વાતચીતમાંથી લક્ષ્ય ઉડી ગયું. પછી તે સખ્ત પવનના ઝપાટા લાગવાથી દીવાની જેવી દશા થાય, મોટો પથ્થર પડવાથી કુંડના જળની જેવી દશા થાય, પિતાના કુટુંબના ભરણપોષણની ચિંતાથી દરિદ્રી માણસનાં મનની જેવી સ્થિતિ થાય, અભિમાની માણસની બીજાથી પરાભવ પામીને જેવી મનઃસ્થિતિ થાય અને સંસારની બીકથી અવિરતિ સમ્યગદષ્ટિ પ્રાણીની જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ કુમારની થઈ ગઈ, કન્યાનું ચિત્ર મન ઉપર વારંવાર આવવા લાગ્યું અને કુમાર આમતેમ ઝલવા લાગે. જેવી રીતે એક યેગી બાહ્ય વસ્તુના વ્યાક્ષેપથી મુક્ત રહી દયેય વસ્તુપર ધ્યાન લગાડી દે છે તેવી રીતે કુમારને બાહ્ય બાબતેમાંથી મુક્ત થઈ ચિત્ર કન્યાના લક્ષ્ય પર આરૂઢ થયેલ અમે જોયે. ૧ વ્રત ન લીધેલ દેવાદિકને શુદ્ધ વસ્તુની ઓળખાણથી એક બાજુએ સંસારની બીક લાગે છે અને બીજી બાજુએ ત્યાગ વૈરાગ્ય આદરી શકાતા નથી. આ સ્થિતિ અસ્વસ્થ અવસ્થા ઉત્પન્ન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy