SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ જિનેશ્વરે કેવા હોય છે? અને હે પ્રભુ! કોને તે તથા પ્રકારે ગમે છે? કેવા પ્રકારના માણસમાં અભિમાન (ગર્વ) હોય છે? અને કેવા પ્રકારના માણસોનાં મનમાં જિનેશ્વર ભગવાન ઉપર ભક્તિ જાગ્રત થતી નથી?” આવા નવ સવાલ એક જ શ્લેકમાં એક સાથે પૂછાતાં હરિકમારે કહ્યું “ભાઈ ! આ સવાલે એક બીજાથી ઉલટા, અટપટા અને બહુ સમાસવાળા છે! માટે ફરીવાર બોલી જા. અને વધારે સ્પષ્ટ રીતે બોલજે જેથી દરેક પ્રશ્ન બરાબર લક્ષ્યમાં રહે.” કુમારની આવી માગણીથી વિલાસ ફરીવાર તે શ્લેક બોલી ગયો. વિચાર કરીને હસીને હરિ કુમારે ઉત્તર આપ્યો “જે ભાઈ! તેને ઉત્તર સાભળ. अकुशलभावनाभावितमानसे { આ લોકમાં નવ સવાલ કરવામાં આવ્યા છે અને તેને જવાબ એક સાથે આપવો એવી તેમાં ગોઠવણ જણ્ય છે. આપણે જવાબ વિચારીએ. ૧ કેવા પ્રકારનું રાજ્યકુળ આખરે નાશ પામે છે–બેસી જાય છે? જવાબમાં પ્રથમના ચાર અક્ષર લેવા-. પ્રવીણતા વગરનું-રાજ્યનીતિ ન સમજનાર રાજ્યકુળ આખરે નાશ પામી જાય છે, બેસી જાય છે. ૨ અગ્નિમાં કેણુ નાશ પામે છે? પ્રથમના બે અક્ષરે મૂકી દેવા. જવાબ ફાસ્ટમાં પતંગીઆ. પતંગીઆ અગ્નિમાં પડી મરણ પામે છે તે જાણીતી વાત છે. ૩ જાણવા લાયક–જાગ્રત કરે તેવું ઉદ્યાન કયું? જવાબમાં ચાર અક્ષરે મૂકી દેવા. માવના. ભાવનારૂપ ઉદ્યાન જાણવા લાયક છે, ઉપદેશ આપે તેવું છે. ભાવના અનેક પ્રકારની છે અને ખાસ જાણવા લાયક છે અને જાણ્યા પછી જાગ્રત કરે તેવી છે તે સ્પષ્ટ છે. ૪ પિતાના સ્થાનથી ભ્રષ્ટ ન થાય એ કોણ? ૧ આને અર્થ “અકુશળ (નહિ સારી) ભાવના વડે જેનું મન વાધેલું છે ? એવો થાય છે. પણ એને પદ છેદ કરવાનો છે. જવાબ સંબંધી હકીકત વિગતવાર આગળ લખી છે તે વાંચે. ૨ આ અર્થ એક વિદ્વાને કહ્યું તે પ્રમાણે કર્યો છે. મેં બેસાડવા પ્રયન કરેલ અર્થ ત્યાર પછી આગળ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy