SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] ચક્રવર્તી ચાર. ૧૯૯૩ આટલું બેલી સંસારીજીવ-અનુસુંદરચક્રી ચૂપ રહ્યો. છેલ્લા ચાર પ્રકરણથી જે વાર્તા ચલાવી હતી અને રહસ્ય સમજાવવું હતું તેની આ પ્રમાણે પીઠિકા કરીને એ મૌન રહ્યો. * સમાધાન. ચાર સ્વરૂપ ધારણ, તેમ કરવાનાં કારણેા. મુદ્દાસરના સવાલ સીધી રીતે સુલલિતાને પૂછવાની જરૂર એ હતી કે એ વાતનું રહસ્ય જરા પણ પામી છે કે નહિ તે બાબતને ખ્યાલ આવે. ભાળી સુલલિતા તુરત જ એલી ઉઠી “ મારે આત્મગોચર એવી એ હકીકતના ખરેખરા ભરોસે મને બેઠો છે. પણ હવે મારા મનમાં એક જ સંદેહ છે તે વાતને ખુલાસા હું સમજી શકતી નથી. તે સંદેહ આ છે કે જો તું પોતે જ અનુસુંદર નામનેા ચક્રવર્તી છે તે અત્યારે આવું ચારનું સ્વરૂપ અને ચારના આકાર તેં શા માટે ધારણ કર્યો છે? આ મારી શંકાનું તું સમાધાન કર.” સંસારીજીને તેના સવાલ ખરાખર સાંભળી લીધા અને પછી તુરત જ તેના જવાથ્ય આ પ્રમાણે આપ્યા.- ભદ્રે! તને પ્રતિબેાધ આપવા માટે મેં આવું મહારથી ચારનું રૂપ ધારણ કર્યું છે. એ વાત તને જરૂરી વિગત સાથે જણાવું એટલે તારા ખ્યાલમાં આવી જશે. જો, યાદ કર. પ્રથમ તને એમ કહેવામાં આવ્યું હતું કે સંસારીજીવ નામને ચાર જે ચારીના મુદ્દામાલ સાથે પકડાઇ ગયો છે તેને કર્મપરિણામ રાજાએ ન્યાય આપ્યા છે અને અત્યારે તેને વધ કરવાને સ્થાનકે લઇ જવામાં આવે છે તેના એ અવાજ છે. (પૃ. ૧૯૯૦-૧) એ પ્રમાણે તને અહીં વાત કર્યાં પછી મહાભદ્રા પ્રñની મારી પાસે આવ્યા, તેના દર્શનની કૃપાથી મને પ્રતિબાધ થયેા, એટલે તે જ વખતે મેં મારા મનમાં વિ ચાર કર્યો કે એ અત્યંત વિશાળ પ્રજ્ઞા (બુદ્ધિવાળી મહાભદ્રા (પ્રજ્ઞાવિશાળા ) ભગવાને જણાવેલું મારૂં અંતરંગ ચારીનું સ્વરૂપ ખરાખર સમજી ગઇ છે અને તેથી ઉપર ઉપરથી મારૂં ગમે તેવું રૂપ હોય પણ અંદરખાનેથી મારૂં ચેરપણું છે તે તે બરાબર જાણી ગઇ છે, પરંતુ પેલી સુલલિતા વાતની અંદરના સંકેત જરા પણ ગ્રહણ કરી શકી નથી ( અગૃહીતસંકેતા છે), એને એ માખતના સહેજ પણ ખ્યાલ આન્યા નથી તેથી જો અત્યારે હું ચક્રવર્તીનું રૂપ ધારણ કરીને ગુરૂમહારાજ પાસે જઇશ તેા જરૂર એ આપડીને (તને) ગુરૂમહાજના વચનપરથી વિશ્વાસ ઉઠી જશે, જરૂર એને એ બાબતમાં શક પડી જશે, કારણ કે એ આપડી જરા પણ શુદ્ધ આગમ ( સદાગમ ) જા Jain Education International શંકાનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy