SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨] અનુસુંદર. ૧૯૭૭ યોથી સારી રીતે રક્ષણ કરાતાં નવ નિધાનો પણ ઉત્પન્ન થયા. હું ચક્રવતી છું એમ માનીને સુકચ્છવિજયના સર્વ રાજાઓ મારે વશ થયા, મારા તાબેદાર થયા, મારૂં ઉપરીપણું તેમણે સર્વેએ સ્વીકાર્યું. મારા પ્રતાપના જોરથી મેં ક્ષેમપુરીમાં જ રહીને છ ખંડ પૃથ્વી સાધી લીધી, જીતી લીધી અને મારે વિજય આખા વિજયમાં ફેલાયોવિસ્તર્યો. પછી બત્રીસ હજાર મુગટબંધ રાજાઓએ એકઠા થઈને બાર વર્ષ સુધી ભારે ચકી તરીકેનો અભિષેકમ છવ કર્યો. પ્રફુલ્લિત થયેલા કમળ જેવી સુંદર આંખેવાળી ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે મેં બેગ ભેગવ્યા, મારી આખી પ્રજાને ઘણે આનંદ આપે અને મોટી સંપત્તિના માલેક તરીકે અને ચક્રવર્તીના બિરૂદ સાથે મેં ઘણે કાળ એવી રીતે આનંદમાં નિર્ગમન કર્યો. મનુષ્ય તરીકે સ્થળ સુખની ૧ નવ નિધાનઃ ચક્રવતીના પુણ્ય પ્રાભારથી નવ વિધાન પ્રગટ થાય છે. એ નવે નિધાનનું વર્ણન શ્રી ત્રિષષ્ટીશલાકા પુરૂષ ચરિત્રના પ્રથમ પર્વમાં નીચે પ્રમાણે કર્યું છે. (જુઓ પ્રથમ પર્વ-સર્ગ ૪ થે. શ્લોક-૫૭૪-૫૮૭). ૧ નૈસર્ગ. તેનાથી છાવણી, શહેર, ગ્રામ, ખાણ, દ્રોણમુખ (અલ્પજન સ્થાન), મંડપ અને પત્તન વિગેરે સ્થાનનું નિર્માણ થાય છે. ૨ પાંડુક, માન, ઉન્માન, પ્રમાણ વિગેરેનું ગણિત અને ધાન્ય તથા બીજને સંભવ તેનાથી થાય છે. ૩ પિંગળ. તેથી નર નારી હાથી ઘોડાનાં સર્વ પ્રકારનાં આભૂષણોને વિધિ જાણી શકાય છે. ૪ સર્વરલક. એનાથી સાત એકેંદ્રિય અને સાત પંચંદ્રિય રો ઉત્પન્ન થાય છે. ઉપરની નેટમાં ૧૪ રતો બતાવ્યાં તે પૈકીનાં ૧-૩-૯-૧૦ -૧૧-૧૨-૧૩ એકેંદ્રિય છે. અને ૨-૪-પ-૬-૭-૮-૧૪ પંચેદ્રિય છે તે લક્ષ્યમાં લેવું. ૫ મહાપ. એનાથી સર્વ પ્રકારના શુદ્ધ અને સંગીત વસ્ત્રો ઉત્પન્ન થાય છે. ૬ કાલ. એનાથી વર્તમાન ભૂત ભવિષ્ય જ્ઞાન, ખેતી અને શિલ્પનું વૈજ્ઞાનીક જ્ઞાન થાય છે. ૭ મહાકાલ. એનાથી પરવાળાં, રૂપું, સોનું, મુક્તાફળ, લોડું વિગેરે ધાતુઓની ખાણો ઉત્પન્ન થાય છે. ૮ માણવ. તેથી યોદ્ધા, હથિયારો અને બખ્તરોની સંપત્તિ મળે છે અને યુદ્ધનીતિ દંડનીતિનું સર્વ પ્રકારનું જ્ઞાન થાય છે. ૯ શંખ. એથી ચારે પ્રકારના કાવ્યની સિદ્ધિ થાય છે, નાટવિધિ પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારનાં વાજિત્રની નિષ્પત્તિ થાય છે. ૨ મહાવિદેહના દરેક વિજયમાં ચઢી જુદા જુદા થાય છે, દરેક ચકી - તાના વિજયના છ ખંડો સાધે છે. દરેક વિજયમાં જ ખંડ હોય છે (ભરતની પે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy