SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International પ્રકરણ ૧૧ મું. રખડપાટે. રવ, આર્તાશય અને ત્રણ ફુટ લેરયાઓના સમુચ્ચયકાર્યથી મારામાં શિથિળતા વધતી ચાલી, હું સાધુના વેષમાં રહી મિથ્યાદષ્ટિ થઇ ગયા અને દિવસાઽદિવસ મારામાં દુઃશીળ આવતું ગયું, મારા અધઃપાત થતા ગયા અને મારા ઉત્તમ મિત્રો અને શુભાકાંક્ષીએ મારાથી વધારે વધારે દૂર જતા ચાલ્યા. તે વખતે મારા સંબંધમાં એક ઘણા ભયંકર અનાવ બન્યા. સુંદરી અગૃહીતસંકેતા ! મારી વાર્તાના હવે લગભગ છેડો આવતા જાય છે. ટુંક વખતમાં વાત પૂરી થશે. આ બાકીના વિભાગ તું જરા લક્ષ્ય દઇને સમજી લે. આયુષ્યરાજ અને ભવિતવ્યતાના સંકેત. ચારિત્રમાં શિથિળતા, મહા અધ:પાત. અગાઉ જણાવ્યું તેમ મારા આખા દુશ્મન વર્ગને હવે ઘણા અવકાશ મળી ગયો, તે સર્વ એક સાથે જોરમાં આવી ગયા અને એક સાથે મારા સંબંધમાં પાતપાતાને યોગ્ય માર્ં દુશ્મનકાર્ય કરવા મંડી ગયા. તે સર્વેએ એકઠા થઇને મારી સ્રી ભવિતવ્યતા સાથે વિચાર કર્યો અને પછી તેને આયુષ્યરાજની પાસે સંદેશા આપીને મોકલી. આયુષ્યરાજ અને મારી ભાર્યાં ભવિતવ્યતા વચ્ચે નીચે પ્રમાણે વાતચીતદ્વારા સંકેત થયા: ભવિતવ્યતા—“ ભદ્ર ! મારા નાથને હવે કોઇ સારે ઠેકાણે માકલી આપા, એનાં જેવાં કર્મો કરે તેમને રહેવા યોગ્ય જે કોઇ સારૂં (?) સ્થાન હેાય તે આને માટે મને બતાવી આપે.” આયુષ્યરાજ—‹ દેવી ! એનું સ્થાન તે બતાવી આપેલું જ છે! તમે મને એમાં શું પૂછે છે? જુએ. એ તમારા પતિના અત્યારના ચરિત્રથી નારાજ થઈને મહારાજા કર્મપરિણામ પણ હાલ તે માહરાજાના પક્ષમાં જઇ બેઠા છે. વળી એ મહારાજે ઓછામાં પૂરૂં પેલા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy