SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ સૂરીશ્વરમહારાજને નમીને આખા પરિવાર સાથે શુદ્ધ નિર્જીવ જમીન તપાસીને હું બેઠો, મારા મનમાં તે વખતે ઘણા આનંદ થયો અને મારા અંતરાત્મા પ્રસન્ન થયા. ગુરૂમહારાજ શ્રીનિર્મળાચાર્યે ભવ્ય વાના કર્મરૂપ વિષને ઉતારનાર અમૃતના ઝરણા સમાન દેશના આપવાના આરંભ કર્યો. Jain Education International નિર્મળાચાર્યકૃત દેશના. ચક્રભ્રમણમાં અંતે દુ:ખ, સાધુતામાં જ ખરૂં સુખ. “ ભવ્ય પ્રાણીઓ ! આ સંસારચક્ર જે નિરંતર ભ્રમણ કર્યા જ કરે છે અને જે અનેક પ્રકારનાં ભયંકર દુઃખાથી ભરપૂર છે, તેમાં ૮ ધર્મ સિવાય બીજી કોઇ વસ્તુ શરણુયોગ્ય નથી, આધારભૂત નથી, “ વિશ્રામસ્થાન આપે તેવી નથી. એ સંસારચક્રમાં જન્મ થાય છે “ તે મરણુ માટે થાય છે, એમાં શરીર પ્રાપ્ત થાય છે તે રોગોનું કા tr રણ હોય છે, એમાં જુવાની આવે છે તે વૃદ્ધાવસ્થાની કારણભૂત “ હાય છે અને એમાં જે કાંઇ મેળાપ-સમાગમ થાય છે તે આખરે “ વિયેાગને માટે જ હાય છે-વિયોગમાં જ પરિસમાપ્તિ પામે છે, “ એમાં અનેક પ્રકારની સંપત્તિ ( સ્થૂળ ) મળે છે તે સર્વ વિપ “ ત્તિઓની–દુ:ખાની નિમિત્તભ્રત છે. સંસારમાં આવી રીતે જે શરીર, “ યુવાવસ્થા, મેળાપ અને સંપત્તિઓની માટી કિમત અંકાય છે તે સર્વે દર દુઃખને માટે થાય છે તેથી એમ જણાય છે કે પ્રાણીઓના સંબંધમાં “ આવતી સાંસારિક એક પણ વસ્તુ એવી નથી કે જે એનાં દુઃખને ૯ માટે થતી ન હોય, એ સંસારચક્રમાં જે જે સ્થૂળ વસ્તુઓ છે તે “ તે સર્વ પ્રાણીઓને દુઃખનું જ કારણ છે. આ પ્રમાણે હકીકત હાવાથી “ સંસારના પદાર્થોમાં સુખ મેળવવાના પ્રયત્ન કરવા એ માત્ર ઝાંઝ “ વામાંથી જળ મેળવવાની આશા જેવું છે. ત્યારે સુખ ક્યાં છે અને “સુખી કાણુ છે? સંસારના પાર પામી જે મહાત્માએ અમૂત્તે દશામાં “ આવી ગયેલા છે, જે સર્વ ભાવને જાણી રહ્યા છે, જે ત્રણ “ લેાક ( ઉર્દૂ, અધા અને તિર્યક્ લેાક)થી ઉપર ચાલ્યા ગયા છે, જે“ એએ સર્વ સંગના ત્યાગ કર્યો છે, તે જ માત્ર સુખને અનુભવ “ કરી રહ્યા છે, એ મહાત્માઓને રાગદ્વેષ અજ્ઞાન મૂર્છા વિગેરે બખે १. मरणाय भवेज्जन्म, कायो रोगनिबन्धनम् । तारुण्यं जरसो हेतु वियोगाय समागमः ॥ ૨ અહીં છે. રેસ. એ. સેાસાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૧૧૨૬ શરૂ થાય છે. ૩ અમૂર્તઃ આ સર્વ સિદ્ધ વાનું વર્ણન છે, કર્મક્ષય કરી પરમાત્મ દશાને પ્રાપ્ત કરનાર મહાત્માઓનું વર્ણન છે, અમૂત્તે એટલે અરૂપી, મૂર્ત્તિ-આકાર વગરના, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy