SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૨૯૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ** પડ્યો હતા તે જણાવ્યા અને તેની અંતર્ગત રહેલ ભાવાર્થ જાણવાની મારી જિજ્ઞાસા ગુરૂમહારાજ સમક્ષ રજુ કરી. કંદમુનિએ મારી સર્વ હકીકત સાંભળી મને કહ્યું “ ભાઇ ગુણધારણ ! તારાં સ્વમને ભાવાર્થ અતંદ્રિય જ્ઞાની ગુરૂ વગર બીજે કાઇ કહી શકે એમ નથી. મારા ગુરૂમહારાજ નિર્મળસૂરિ નામના પોતાના કેવળજ્ઞાન રૂપ પ્રકાશથી સૂર્ય સમાન છે, પણ અત્યારે તેઓશ્રી ક્રૂર દેશમાં વિહાર કરે છે. જ્યારે તેઓશ્રીના પાદવંદન કરવા હું જઇશ ત્યારે તારા સંદેહ તેમને પૂછીશ. મારી ખાત્રી છે કે બન્ને સ્વગ્નને અંગે તારા મનમાં જે સંદેહ થયા છે તેના તેઓશ્રી બરાબર ખુલાસેા કરી આપશે, તે મહા જ્ઞાની હાવાથી સ્વસને અંદરના આશય ખરાબર સમજાવરો.” મેં વામમાં કહ્યું “ ભગવન્ ! જે આપના ગુરૂમહારાજશ્રી નિર્મલાચાર્ય જાતે જ અહીં કાઇ પણ રીતે પધારે તેા કેવું સારૂં થાય!” કંદમુનિએ મને જવામ આપતાં કહ્યું “હું તારાં વચનથી ગુરૂમહારાજ પાસે જઈશ અને તેઓશ્રીને અહીં પધારવા પ્રેરણા અને ખાસ વિજ્ઞપ્તિ કરીશ અને મારી ખાત્રી છે કે તેઓશ્રી વિ હા ર. જાતે અહીં પધારીને તારા મનેરથા પૂરા કરશે. અથવા તે મને એમ પણ લાગે છે કે તેઓશ્રીના આત્મા કેવળજ્ઞાનના પ્રકાશથી સર્વ ભાવનેા જાણકાર હેાવાથી તારા મનના ભાવ જાણીને મારી વિજ્ઞપ્તિ વગર જ જાતે અહીં ચાલ્યા આવશે. તેઓશ્રી પધારે દરમ્યાન તારે હાલ તુરત સદાગમ ઉપર સમ્યગ્દર્શન ઉપર અને તે બન્ને સાથે આ શૃદ્ધિધર્મકુમાર ઉપર બહુ આદર રાખવા." * ગુરૂ મહારાજનાં એ છેલ્લાં સુંદર વચનાને મેં અત્યંત આદરથી વધાવી લીધાં અને મુખેથી કહ્યું ભગવન્ ! બહુ કૃપા થઇ.' મારી સ્ત્રીએ પણ ભગવાનનાં વચનને સ્વીકાર્યું. ગુરૂમહારાજને વારંવાર વંદન કરીને હું અને મારી સ્ત્રી ત્યાર પછી ઉદ્યાનમાંથી અમારા રાજભુવને ગયા. મહાત્મા કંદમુનિ પણ બીજા અનેક મુનિવરા સાથે પેાતાના ગુરૂ શ્રીનિમેળાચાર્યને વંદન કરવા સારૂ ત્યાંથી વિહાર કરી ગયા. ગુણધારણનું રાજ્ય, ભદ્રે અગૃહીતસંકેતા! ત્યાર બાદ કેટલાક વખત ગયા પછી ધર્મનું આસેવન કરી સમાધિમરણે મારા પિતા મધુવારણ પરલાક સીધાવ્યા. ત્યાર પછી મારા ભાયાતા મંત્રી અને સેનાપતિએ સાથે મળી અત્યંત હોંસથી અને મહા આનંદથી મારા રાજ્યાભિષેક કર્યો, તે વખતને ચામ સર્વ ધામધૂમા કરવામાં આવી અને સર્વ ઘણા રાજી થયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy