SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રતાવ૮ મુખ્ય ભાયાત સાત (સાતા) નામના રાજાને મારે બહુ પ્રસંગ થયે હતું. તે મારી ઉપર ઘણે સ્નેહ રાખતો હતો, મારી તરફ ઘણે પક્ષપાત રાખતો હતો અને મારા ઉપર બહુ આસક્ત રહેતે હતો. મારી સાથે વિબુધાલયમાં થયેલી મિત્રતા યાદ કરીને એ સાત નામને રાજા મારી સાથે સપ્રમદપુર નગરે આવ્યું હતું, પરંતુ એ અત્યાર સુધી છૂપ રહીને મને સુખનો સ્વાદ લેવરાવ્યા કરતો હતો. હવે જ્યારે મારા પેલા બે મિત્રોને બંધુ તરીકે મારે સંબંધ થયો ત્યારે એ સાત રાજા પણ ઉઘાડી રીતે મને ભેટી પડ્યો અને ત્યાર પછી સુખ મળવાની મારી જે યોગ્યતા હતી તેમાં અનંતગણું વધારે ગુરૂમહારાજ સમક્ષ જ થઈ ગયું અને ત્યાર પછી સાત રાજાની સહાય અને મૈત્રીથી મને સ્ત્રી અને રત્નસમૂહની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલ સુખમાં અનંતગણ વધારો થયો મેં જેવી રીતે પિલા સદાગમ અને સમ્યગદર્શનને મારા મિત્ર તરીકે સ્વીકાર્યા તેવી જ રીતે તે જ વખતે મારી પતી મદનમંજરી અને મિત્ર કુલંધરે પણ તે બન્નેને મિત્ર તરીકે ગુરૂરાજ સમક્ષ સ્વીકાર્યા. આ સુંદર બનાવ જોઈને એ પવિત્ર મહાત્મા મુનિરાજ વધારે રાજી થયા અને ફરીવાર વધારે વધારે વિશુદ્ધ ધર્મદેશના દેવા લાગ્યા. ચિત્તવૃત્તિ અટવીમાં ન બનાવ, મહામેહની સભામાં મેટો ખળભળાટ, ચારિત્રરાજની અવસર સાધવાની વિશાળેચ્છા, સપ્રમેદપુરના આહાદમંદિર ઉદ્યાનમાં ઉપર પ્રમાણે સુંદર બનાવો બનતા હતા તે વખતે વળી એક તદ્દન નવીન ઘટના બની આવી; હકીક્ત એવી બની કે ચિત્તવૃત્તિ અટવીમાં મહામહ રાજા વિગેરે ઘેરે ઘાલીને પડ્યા હતા તેઓ કાંઈક પાતળા પડતા ગયા, નરમ થતા ગયા, ધ્રુજતા ગયા અને ભયથી ઘેરે છોડી દઈને જરા દૂર જઈને બેઠા. બહેન અગ્રહીતસંકેતા! તે વખતે ચારિત્રધર્મરાજને પિતાના મનમાં કાંઈક સંતોષ થયે હેય તેમ જણાયું અને તે સંતેષ જાહેર કરતાં તેઓએ પોતાના મંત્રી સોધને કહ્યું-“મંત્રીવર! અત્યારે અવસર સારે પ્રાપ્ત થઈ ગયો હોય એમ મને જણાય છેઘણી વાતની અનુકૂળતા વધતી જતી હોય એમ દેખાય છે, તેથી અત્યારે તું પુત્રી ૧ શુદ્ધ માર્ગે જનારને શાતા વધારે થાય છે, માર્ગો સરળ થાય છે, પ્રમોદ વધે છે અને આનંદ આનંદ થાય છે. જ્ઞાન અને દર્શનના વધારા સાથે પુણ્ય પ્રકુતિમાં વધારે થાય છે તેનું અન્ન દિગ્દર્શન થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy