SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭; ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ છ લાગી ગયું, તેમની બાબતમાં મારૂં ચિત્ત ચાટવું અને તેમની વાત મારા હૃદયમાં ગમી ગઇ. એટલે મેં તેા દેવપૂજા, ગુરૂવંદન, નમસ્કારને પાઠ વિગેરે સર્વ ધર્મક્રિયાના માર્ગો છોડી દીધા અને હું ભાગમાં આસક્ત થઇ ગયા. આથી સાધુઓને દાન આપતા હતા તે અટકાવી દઇને તેમજ અન્ય સુક્ષેત્રોમાં લક્ષ્મીના ઉપયોગ કરતા તે બંધ કરીને પૈસા એકઠા કરવા લાગ્યા અને વધારે વધારે પૈસા એકઠા કરવા માટે લેાકે ઉપર નવા નવા ભારે કર નાખવા લાગ્યા; મારી રૈયત કરના બેજા તળે કચરાવા લાગી. સર્વ સાંસારિક બાબતમાં બહુ ગાઢ મૂર્છા ત્યાર પછી થવા અને વધવા લાગી. માહુરાજા પેાતાનું જોર ખરાખર અતાવવા લાગ્યો. સદાગમ તરફ મને બીલકુલ રૂચિ જ રહી નહિ. પરિગ્રહની અસરથી મને તેા બધી વાતે ઓછું જ પડવા માંડ્યું, ગમે તેટલું મળે પણ મારી ઇચ્છા પૂરી જ થાય નહિ, વધારે મળે તેમ તેથી પણ વધારે મેળવવાની ઇચ્છા થયા કરે અને એવી રીતે ઘણું ધન મળે તે પ આગળને આગળ વધારે ધન મેળવવાની ઇચ્છા થયા જ કરે. મારી આંતર સ્થિતિ આવા પ્રકારની જોઇને સદાગમ મારાથી દૂર ચાલ્યા ગયા અને મહામેાહ અને પરિગ્રહ મારા આંતર રાજ્યના માલિક થઇ ગયા, તેઓની હોંસ પૂરી થઇ તેથી તે બંને ઘણા રાજી થયા, સંતેષ પામ્યા. અકલંક અને આચાર્યનું આગમન. મારો મિત્ર અકલંક દીક્ષા લઇને આચાર્ય સાથે અન્ય અન્ય દેશામાં વિહાર કરતા એકદા આચાર્ય સાથે મારે નગરે આવી ચઢ્યો. મને કોઇ સાધુઓને વંદન કરવા જવું ગમતું નહેાતું પણ અકલંક સાથે ઘણા વખતના સ્પ્રેડ હતા તેના દાક્ષિણ્યથી ત્યાં ગયા અને અને અકલંકને અને સાથે તેના ગુરૂમહારાજ શ્રીકાવિદાચાર્ય તથા અન્ય સર્વ મુનિવર્યોને નમસ્કાર કર્યાં. હવે હકીકત એમ મની કે કાવિદાચાર્યે જ્ઞાનબળથી મારૂં આખું ચરિત્ર-વર્તન ખરાખર જાણ્યું હતું અને અકલંકના સાંભળવામાં લોકો પાસેથી પણ મારી ઘણી ખરી હકીકત આવી ગઇ હતી; તેથી અકલંકે પ્રસંગ જોઇને ગુરૂમહારાજને વિજ્ઞપ્તિ કરી “ નાથ ! સદાગમમાં શી મહત્તા છે, તેનું શું માહાત્મ્ય છે, તેની કેટલી શક્તિ છે તે આ ઘનવાહન રાજાને જણાવા; વળી દુર્જન માણુ Jain Education International ૧ કેટલીક વાર આમ સીધી રીતે ઉપદેશ અપાય છે, કેટલીક વાર આડક્તરી રીતે અપાય છે. પ્રસંગ અને વ્યક્તિ ઉપર ઉપદેશની શૈલી, ભાષા, વસ્તુ અને રચનાને આધાર રહે છે. માર્ગે ઉપદેશ અસરકારક થશે. તેના નિર્ણય અનુભવી ગુરૂએ કરી લે છે. યે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy