SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭]. ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૩૧ પાડાઓ, બકરાઓ અને ભુંડને મારીને તેના લેહથી મને મા- ચંડિકાનું તર્પણ કરીએ છીએ; વળી અમે ગમેધ નેલો ધર્મ. યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ અને નરમેધ યજ્ઞ કરીએ છીએ, અનેક બકરાઓ વડે યજ્ઞ કરીએ છીએ અને એવી રીતે અનેક પ્રાણીઓનું મર્દન કરી ચારે પ્રકારના યજ્ઞો કર્યા કરીએ છીએ. બીચારા અનેક પશુ અને પ્રાણીઓ ખરાબ નિમાં પડેલા હોઈ દુ:ખથી રીબાતા હોય છે તેમના ઉપર કૃપા કરીને તેમને અમે દુઃખથી મૂકાવીએ છીએ અને અમારી પાપઋદ્ધિવડે જીવોને દિને દિને મારીને યજ્ઞસ્થાનને અમે માંસથી ભરી મૂકીએ છીએ. પછી અમારી મરજી પ્રમાણે એ સર્વનું દાન કરી દઈએ છીએ. આવાં આવાં ધર્મો તે અમે કર્યા જ કરીએ છીએ અને તેથી અમારી ફરજ બજાવતા રહીએ છીએ, માટે અમે તમારા આ ધર્મની ચિંતા કરતા જ નથી.” મૂઢ જેવા અભવ્ય પ્રાણીઓ ગુરૂમહારાજને આવો જવાબ આપે અથવા આને મળતી દલીલ કરવા લાગે ત્યારે શાંત મુનિરાજાને તેમના ઉપર વધારે દયા આવે છે અને તેને રસ્તે લાવવા તેમના મનમાં વિચાર આવે છે, તેને પરિણામે તેને જાગૃત કરવા મુનિઓ આ પ્રમાણે કહે છે “ ભદ્રો ! તમારે આ સંસાર વધારે તેવો બેટો ભ્રમ રાખવો ઉચિત નથી. તમે ખોટે રસ્તે દેરવાઈ ગયા છે. તમે ગુરૂને સ્વ. જે ઇંદ્રિયના ભેગની વાત કરી તે સર્ષના ભાગની રૂપદેશ. પિઠે પરિણામે ઘણું ભયંકર છે, એનો છે. આખરે ઘણે કડવો આવે છે, તે પાપથી ભરપૂર છે અને મહા ભયંકર કલેશને વધારનાર છે. વળી તમે સ્ત્રીઓમાં રાચે મા છે પણ ખરેખર તેઓ પ્રાયે નીચ સ્વભાવની હોય છે, અકાળે કરનારી હોય છે અને જાતે માયાનો કરંડિ છે. તેઓનાં વિલાસ નાચ ગાયન અને ચાળાચસકા સર્વ વિડંબના જ છે. અને ભાઈઓ! મેક્ષ તો અનંત આનંદથી ભરપૂર છે અને તે આનંદ હમેશા બન્યો બન્યો રહે છે. જીવોની આત્મવ્યવસ્થા સર્વ લેશથી રહિત છે. માટે ભાઇઓ ! મનુષ્યને ભવ પ્રાપ્ત કરીને ખાવા પીવાના વિલાસનું કૌતુક કરવું અને ૧ ચાર મુખ્ય ચાર પ્રકારના છે. જેમાં ગાય, અશ્વ, મનુષ્ય અને બકરા હોમાય તે અનુક્રમે ગમેધ, અશ્વમેધ, નરમેધ, અને અજમેધ યજ્ઞ કહેવાય છે. એ યજ્ઞનો વિધિ મનુસ્મૃતિ વિગેરેમાં બતાવેલ છે. - ૨ દાનઃ સત્ર-ચક્ષસ્થાનમાં આખરે બ્રાહ્મણને દાન આપવામાં આવે છે. આ એક યજ્ઞવિધિ છે. ૩ સર્ષના ભેગા શરીર તથા ફણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy