SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ મૂઢને શિખામણ આપવાનો કે ઠેકાણે લાવવાને કોઈ માર્ગ જણને નથી, કારણ કે એ મારી વાત પણ સાંભળતું નથી અને પિતાની વાતને વળગી રહેવાને દઢ નિર્ણય કરી બેઠે છે. ત્રણે રો ભર્યો, ચેાથે રખડી ગયે. ગ્ય અને હિતજ્ઞ તે ચારૂના ઉપદેશ પ્રમાણે વર્તતા રહ્યા, તેને પરિણામે તેઓએ પિતાનાં વહાણે બહુ આનંદથી થોડા વખતમાં મૂલ્યવાન રત્નોથી ભરી દીધાં. ચારૂએ તે વખતે પિતાના મનમાં દેશ જવાને અગાઉ નિશ્ચય કર્યો હતો તેને અમલમાં મૂકો અને યોગ્ય અને હિતજ્ઞને સાથે લઈને પોતાના સ્થાન (દેશ) તરફ બહુ આનંદથી સીધા અને મૂહ તે કઈ રીતે રને મેળવનાર થયો નહિ તેથી તેને છેડીને ત્રણે મિ. ચાલ્યા ગયા. એ ત્રણે મિત્રોએ સ્વસ્થાનમાં જઈને રલો વેચ્યાં જેને લઈને તેઓ અપાર લક્ષ્મી મેળવી આનંદમાં પરિપૂર્ણ થઈને સુખે રહેવા લાગ્યા. હવે પેલે મૂઢ તે રતદ્વીપમાં રહી જશેખ જ કરતો રહ્યો અને એણે રો ઉપાર્જન કર્યા નહીં, જેથી નિર્ધન થઈ ગયું અને તેને પરિણામે અનેક પ્રકારનાં દુઃખ ભોગવવા લાગ્યું અને તદ્દન ભિખારી રહી ગરીબાઈને દુઃખમાં સબડવા લાગ્યો. કેઈ ત્યારે ક્રોધી રાજા એ જ દ્વીપમાં તેની ઉપર તેના માઠા વર્તનથી ઘણે ક્રોધે ભરાયે અને આખરે તેણે તેને રતદ્વીપમાંથી પણ કાઢી મૂક્યો અને મહા ભયંકર જળતંતુઓથી ભરેલા અને ભયાનક આવર્તીથી ત્રાસ આપનારા તેમજ જેના મૂળ અને છેડે દેખી પણ શકાતાં નથી એવા મેટા સમુદ્રમાં ફેંકી દીધે. પાંચમા મુનિ મહારાજ અકલંકને કહે છે કે–ભાઈ અલંક ! મારા પૂજ્ય ગુરૂમહારાજે ઉપર પ્રમાણે કથા કહી તે સાંભળીને મને વૈરાગ્ય થશે. અકલંક તે મુનિરાજના કહેવાને ભાવાર્થ બરાબર સમજી ગયો તેથી તેનું મુખ કમળ ઘણું વિકસ્વર થયું. પછી તેણે મુનિરાજને નમસ્કાર કર્યો અને પોતે બીજા મુનિ તરફ ચાલ્યો. ઘનવાહન–“ભાઈ! તે તે મુનિ મહારાજને તેમના વૈરાગ્યનું કારણ પૂછયું હતું અને મુનિરાજે આવી સંબંધ વગરની વાત શી કરી? માટે તેની અંદર કાંઈ ન સમજાય તે ભાવાર્થે ઊંડે ઊંડે રહ્યો હોય તે મને સમજાવ. મને તો એમાં કાંઈ સમજણ પડી નહિ.” આ સવાલના જવાબમાં અકલકે નીચે પ્રમાણે ખુલાસા કર્યા. ૧ સંસારીજીવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy