SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ] ચાર વ્યાપારી કથાનક. ૧૭૦૫ ત્યાર પછી ચારૂ પિતાના બીજા મિત્ર હિત પાસે આવ્યો તે વખતે બન્ને વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ તે હિતજ્ઞને છે. ઘણી વિચારવા યોગ્ય છે. ચારૂ યોગ્યને ઠેકાણે લાવીને કાણે આર. સીધે જ હિત પાસે આવ્યો હતો તે વાત લક્ષ્યમાં રાખવાની છે. ચાર– “કેમ ભાઈ હિતા! હું તો હવે (દેશ) જઉ છું. તારે કેમ છે? આવવું છે?” ચારૂનો આવો સવાલ સાંભળીને અત્યાર સુધી રનદ્વિીપમાં પિતે જે કાંઈ એક કર્યું હતું તે આંચકાપૂર્વક બીતાં બીતાં હિત તેને બતાવ્યું. ચારૂએ જોયું તે જે વસ્તુઓ હિત એકઠી કરી હતી તે તો માત્ર શંખલાના કટકા, કાચના ટુકડા અને કેડિઓનાં સમૂહો હતા. પછી આટલો બધો વખત શું કર્યું એવા સવાલના જવાબમાં હિતને પોતાનું આખું ચેષ્ટિત વિગતવાર જણાવી દીધું. એ વાત કરતાં હિતર એવું બતાવ્યા કરતો હતો તેથી ચારૂને તેના ઉપર ઘણી દયા આવી અને પછી કાંઈક ઠપકાને અને કાંઈક સમજાવટના આકારમાં તેણે હિતને નીચે પ્રમાણે કહ્યું - ચારૂ–“ભાઇ હિતજ્ઞ! પાપી ધૂતારા લેકેએ તને ખરેખર ઠગે છે! તું તદ્દન ભેળ માણસ છે અને રનની જરા પણ પરીક્ષા જાણતો નથી એ વાતનો તે પાપીઓએ લાભ લીધો છે. તું અહીં રતદ્વીપમાં વેપારી થઈને વેપારીના વેશે રન કમાવા સારૂં આવ્યો છે તે તારે હરવા ફરવાના મજશોખમાં પડી જવું એ જરા પણ યોગ્ય નથી. સાચા વેપારીને એ ખોટે શેખ પાલવે નહિ.” ચારૂનાં આવાં વચન સાંભળીને હિતશે વિચાર કર્યો કે–અહો! ચારૂની વચનકુશળતા કેવી ઉમદા છે! અને તેનો મારા તરફ સેહ પણું ખરેખર છે ! મારું હિત ક્યાં છે અને શેમાં છે અને મારું અહિત શા કારણથી થયું છે તે સર્વ બાબત આ મહા ભાગ્યવાન ચારૂ બરાબર જાણે છે તે પછી મારે હવે ખરેખરૂં કરવા જેવું શું છે તે બાબત પણ તેને જ પૂછી લઉં. પછી એણે પિતાપર પ્રેમ રાખનાર મિત્ર ચારૂને નીચે પ્રમાણે કહ્યું. હિતણ–“ભાઈ ચારૂ! હવે વાડીબગિચાના મેજ શેખમાં હું જરા પણ પડીશ નહિ અને ચિત્રો જોવામાં જરા પણ કુતૂહળ રાખીશ નહિ. પણ હવે તું મારા ઉપર કૃપા કરીને રોના ગુણદો મને બરાબર સમજાવ, જેથી મને રત્નોની પરીક્ષા કરતાં આવડે. પછી રોના બરાબર એગ્ય પરીક્ષક થઈ હું આ કાચ શંખલાં વિગેરેને ત્યાગ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy