SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] ૫, ઉત્તમરાજ્ય. ૧૫૮૯ “થને બહુ સારી રીતે મનનપૂર્વક અભ્યાસ કરવો અને તેના પાર ગામી થવું; એ ધર્મશાસ્ત્રમાં-ગ્રંથોમાં બતાવેલી હકીકતનું રહસ્ય ઊંડા “ ઉતરીને વિચારવું, એ હકીકત બરાબર સમજીને મનમાં તેને માટે ચોક્કસ ખાત્રી કરવી અને તેના પ્રત્યે હૃદય દૃઢ કરવું; ધર્મશાસ્ત્રમાં “જે જે ક્રિયા અનુષ્ઠાને બતાવ્યાં હોય તે તે આકારે તેનું પાલણ કરવું; સંત મહાત્માઓની સેવાચાકરી કરવી; દુર્જન હલકા નીચે મનુષ્યથી હમેશાં દૂર રહેવું અને તેમને પરિચય છેડી દે; ૧ સર્વ પ્રાણીઓ પિતાની જેવા જ છે, પોતાની ઉપમા અપાય તેવા છે તેમ ગણીને જેવી રીતે પિતાનું રક્ષણ કરવામાં આવે છે તેવી રીતે તે “સર્વને બચાવ કરે, તેમનું રક્ષણ કરવું, તેમને પ્રાણુદાન આપવું; ૨ ‘સત્ય વચન બોલવું તે પણ સર્વ પ્રાણીઓને હિત કરે તેવું હોય તે “બેલવું, આકરું ન હોય તેવું બેલિવું, તેને વખત ન વહી ગયેલ હોય ત્યારે (ગ્ય અવસરે) વખત વિચારીને બોલવું અને પરીક્ષા કરીને “બોલવું; ૩ પારકા ધનને એક તલ જેટલે ભાગ પણ ધણીના આપ્યા વગર લે નહિ, ૪ સમગ્ર સ્ત્રીવર્ગ સાથે ભાષણ કરવું નહિ, તેમાનું સ્મરણ કરવું નહિ, તેઓ સંબંધી કલ્પના કરવી નહિ, તેમને પ્રાર્થના કરવી નહિ, તેમની સામું જોવું નહિ, તથા તેમની સાથે વાતો કરવી નહીં; ૫ બાહ્ય અને અંતરંગ સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરવે; આત્મસંયમની બાબતમાં ખાસ ઉપકાર કરનાર સાધુવેશ ધારણ - ૧ અહીંથી પાંચ વરત શરૂ થાય છે તે બતાવવા તેને એક બે એવી સંખ્યા આપેલ છે. ૨ બેલાને અંગે પાંચ વાત કરી. સત્ય બોલવું, હિતકારક બેલવું, સામાન્ય પર બાજાની જેમ પડે તેમ નહિ પણ શાંતિથી સમજાય તેવું બોલવું, વખતસર અને વખતને યોગ્ય બાલવું અને મનમાં વિચાર કરીને પરીક્ષા કરીને બેસવું. આ વાત બહુ વિચારવા યોગ્ય છે. એકલા નગ્ન સત્યને સત્ય કહેવામાં આવતું નથી એ જૈન પરિભાષા સમજવા યોગ્ય છે. ૩ આ સ્ત્રીસંગમાં શિયળની નવે વાડોને યુક્તિ પૂર્વક સમાવેશ કર્યો છે, સ્ત્રીઓએ સર્વ બાબત ઘટતા ફેરફાર સાથે પુરૂષો માટે સમજી લેવાની છે. ૪ આ અંતરગ અને બાહ્ય પરિગ્રહત્યાગની વાત છે. બાહ્ય પરિગ્રહ નવ પ્રકારનો કહ્યો છેઃ ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, રૂપું, સેનું, અન્ય ધાતુઓ, દ્વિપદ અને ચતુષ્પદ. મતલબ જે વસ્તુઓ અને પ્રાણીઓ ઉપર માલકી હક સ્થાપિત થાય તે બાહ્ય પરિગ્રહ. અંતરંગ પરિચહ ચૌદ પ્રકારે છે. સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ. આ બન્ને પ્રકારના પરિગ્રહને સંગ સર્વથા છેડવાનો અત્ર ઉપદેશ છે. એ પાંચમ વ્રત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy